અયોધ્યા રામમંદિરના નવા નકશા પ્રમાણે 3 નવા મંડપનો વધારો કરાયો
રામ મંદિર માટે જૂની ડિઝાઇન 1985-86માં તૈયાર કરવામાં આવી હતી, ત્યારે હાલ શ્રદ્ધાળુઓની ભીડને જોતા મંદિરની ડિઝાઇનમાં વધારો કરવામાં આવ્યો છે. નવા ડિઝાઇન પ્રમાણે મંદિરમાં 3 નવા નૃત્ય મંડપ તૈયાર કરવામાં આવશે, 2 મંડપ આગળ અને 1 બાજુમા તૈયાર કરવામાં આવશે. સમગ્ર મંદિરમાં 3 લાખ 75 હજાર ઘન ફૂટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે, જે પૈકી 70 હજાર ઘન ફૂટ પથ્થર પહેલાથી તૈયાર હતા. બીજા 3 લાખ ઘન ફૂટ પથ્થર બંસીપુરા થી માંગવામાં આવશે. મંદિરની ઉપર 35 ફૂટ ઊંચી ધજા તૈયાર કરાશે. સાથે સાથે 10થી 15 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના સોમપુરા સમાજના કારીગરોને અયોધ્યા લઈ જવામાં આવશે. સમગ્ર મંદિરના ગર્ભગૃહમાં કોઈ દર્શનાર્થીને પ્રવેશ આપવામાં આવશે નહીં.
મંદિરના 40 ફૂટ નીચેથી માટીના સેમ્પલ લેવાયાં હતાં
Lએન્ડT કંપની દ્વારા 1 અઠવાડિયા પહેલા મંદિરના દરેક જગ્યાની 40 ફૂટ નીચેથી માટીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સોલેટ બેસીંગ કેપેસીટીના સેમ્પલ બાદ નક્કી કરાશે કે દરેક મંડપમાં પથ્થરનો ભાર કેટલો રાખવો. અને ત્યાર બાદ સમગ્ર મંદિરમાં કેટલું વજન રાખવું તે નક્કી કરવામાં આવશે.
મંદિરમાં ચોક્કસ 20 ફૂટની જગ્યામાં ખાડો કરીને ભૂમિ પૂજન કરાશે
5મી ઓગસ્ટ બપોરે 12.15 કલાકે રામ મંદિરની કોઈ ચોક્કસ જગ્યા નક્કી કરીને ભૂમિ પૂજન કરવામાં આવશે. રામમંદિરના આર્કિટેક નિખિલ સોમપુરાના જણાવ્યા અનુસાર ભૂમિ પૂજનના દિવસથી મંદિરનું કાર્ય શરૂ કરી દેવામાં આવશે. ભૂમિ પૂજન એક જ અઠવાડિયા બાદ બંસીપુરાથી પથ્થરો મંંગાવવામાં આવશે.
મંદિરના દરેક મંડપમાં SBC રિપોર્ટ બાદ કેટલું વજન રાખવું તે નક્કી કરવામાં આવશે
- સમગ્ર મંદિરમાં 3લાખ 75 હજાર ઘન ફૂટ નવા પથ્થરનો સમાવેશ કરવામાં આવશે.
- વિશ્વવિખ્યાત રામલલ્લા મંદિરનો નવો નકશો તૈયાર કરવામાં આવ્યો છે, મંદિરના નવા નકશામાં 3 નૃત્ય મંડપનો વધારો કરવામાં આવ્યો છે.
- 10000 મંદિરમાં એક સાથે 10 હજાર લોકો સાથે ભગવાનના દર્શન કરી શકે તેવી વ્યસ્થા કરવામાં આવશે.
- 69 એકર ભૂમિમાં 5 ઘૂમ્મટ વાળું મંદિર તૈયાર થશે
- ઊંચાઈ 161 ફૂટ
- પહોળાઈ 235 ફૂટ
- લંબાઈ -360 ફૂટ
- મંદિરની ઉપર ધજા 35 ફૂટ
- થાંભલા 318
- દરેક લાઈનમાં 106 થાંભલા
- જમીનથી મંદિર 17 ફૂટ ઊંચું
- 3 લાખ 75 હજાર ઘન ફૂટ પથ્થરનો સમાવેશ કરાશે
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3eQjFNh
via IFTTT
ટિપ્પણીઓ નથી: