કોરોના દર્દીઓ માટેનું હેપરિન ઈન્જેક્શન 50 ટકા મોંઘુ થશે
કેન્દ્ર સરકારે હેપરિન નામના ઈન્જેક્શનની કિંમત 50 ટકા વધારવાનો નિર્ણય લીધો છે. ખાસ વાત એ છે કે આ ઈન્જેક્શન આઈસીયુમાં દાખલ દર્દીઓને પણ અપાઈ રહ્યું છે. ફેફસાંમાં જામેલા લોહીના ગઠ્ઠાને નાબૂદ કરવા માટે આ ઈન્જેક્શન દર્દીઓને અપાય છે. માહિતી અનુસાર નેશનલ ફાર્માસ્યુટિક પ્રાઈઝિંગ ઓથોરિટી(એનપીપીએ)એ હેપરિનની મહત્તમ કિંમત 50 ટકા વધારવાનો નિર્ણય લીધો છે. જુદી જુદી કંપનીઓનાં ઈન્જેક્શનની કિંમત પણ જુદી જુદી છે.
એનપીપીએના ચેરમેન શુભ્રા સિંહે કહ્યું કે આ સાચું છે કે આ ઈન્જેક્શન કોવિડ દર્દીઓ માટે મહત્ત્વપૂર્ણ છે પણ 2018થી તેના રો મટીરિટલ(એપીઆઈ)ની કિંમત 200 ટકા વધી ચૂકી છે તેમ છતાં તેની કિંમત વધારાઈ નહોતી. દવાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે એનપીપીએએ તેની મહત્તમ કિંમત વધારવાનો નિર્ણય લીધો છે.
સર ગંગારામ હોસ્પિટલના વરિષ્ઠ ડૉક્ટર એમ.બલીએ જણાવ્યું કે હેપરિન ઈન્જેક્શન આઈસીયુમાં દાખલ દર્દીઓને અપાય છે. આ ઈન્જેક્શન મહત્ત્વપૂર્ણ હોય છે. હાલ તે અન્ય દર્દીઓને પણ અપાઈ રહ્યું છે જેમાં પલ્મોનરી એમ્બોલિઝ્મ છે. જોકે આ ઈન્જેક્શન આઈસીયુમાં દાખલ તમામ કોવિડ દર્દીઓને આપવો જોઈએ. તેનાથી દર્દીઓને ફાયદો થશે. કોરોનાની આમ તો કોઈ સારવાર નથી પરંતુ ઇન્જેક્શન અસરકારક પૂરવાર થયા હોવાનું અનુભવથી જણાયું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gdDVJJ
via IFTTT
ટિપ્પણીઓ નથી: