આગ્રા-લખનઉ એક્સપ્રેસવે પર બસ-કાર વચ્ચે ભીષણ અકસ્માત, 5 લોકોનાં મોત

લખનૌ, તા. 19 જુલાઈ 2020 રવિવાર
ઉત્તર પ્રદેશના કન્નોજ પાસે આગ્રા-લખનઉ એક્સપ્રેસવે પર રવિવાર સવારે થયેલા ભીષણ માર્ગ અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયા છે, જ્યારે 20 લોકો ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ, અનિયંત્રિત બસે કારને ટક્કર મારી દીધી. જેના કારણે બસ અને કાર બંને ખાડામાં જઈને પડ્યા. હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને નજીકની હૉસ્પિટલ અને સૈફઈ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી જાણકારી મુજબ, બસ દિલ્હીથી બિહાર જઈ રહી હતી. ત્યારે ઓવર સ્પીડ બસ અનિયંત્રિત થઈને કારને ટક્કર મારીને ખાડામાં ગબડી પડી. અનેક ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. સાથોસાથ મોતનો આંકડો પણ વધી શકે છે.
પ્રાઇવેટ ટ્રાવેલ્સની બસ દિલ્હીથી બિહારના દરભંગા જઈ રહી હતી તે સમયે સવારે આ ભીષણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બસ બાજુના ખાડામાં ગબડી પડતાં તેમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. સ્થાનિક લોકો, પોલીસ અને પ્રશાસને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડ્યા હતા.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2DOqhij
via IFTTT
ટિપ્પણીઓ નથી: