યોગી સરકારમાં અખિલેશ સરકાર કરતા 7 ગણા વધુ એન્કાઉન્ટર થયા, દેશમાં 45% ફેક એન્કાઉન્ટર પણ યુપીમાં થાય છે

કાનપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યા કરનારા ગેંગસ્ટર વિકાસ દુબેનું હત્યાકાંડના આઠ દિવસ પછી પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે. ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર આવ્યા પછી પોલીસ એન્કાઉન્ટરની સંખ્યા વધી ગઈ છે. યોગી સરકારના ત્રણ વર્ષમાં એન્કાઉન્ટરમાં 112 લોકોના મોત થયા છે. આ એન્કાઉન્ટર્સમાં થનારા મોત અંગે ઘણી વખત સવાલો ઉઠતા રહે છે. છેલ્લા પાંચ વર્ષની વાત કરવામાં આવે તો દેશમાં 2015માં સૌથી વધુ 140 એન્કાઉન્ટર થયા હતા, જેના ફેક હોવાના કેસ નોંધાયા હતા.

દેશમાં પોલીસ એન્કાઉન્ટરમાં કેટલા મોત થાય છે. કેટલા રાજ્યોમાં પોલીસ એન્કાઉન્ટરમાં સૌથી વધુ લોકોના મોત થાય છે, દર વર્ષે કેટલા ફેક એન્કાઉન્ટરના કેસ સામે આવે છે? પોલીસ કસ્ટડીમાં કેટલા મોત થાય છે?પોલીસ કસ્ટડીમાં થયેલા મોતમાં સામેલ કેટલા પોલીસકર્મીઓને સજા થાય છે? આ રિપોર્ટમાં આ તમામ સવાલોના જવાબ શોધીશું.

UPની સ્થિતિઃયોગીના ત્રણ વર્ષમાં અખિલેશ કરતા 7 ગણા વધુ એન્કાઉન્ટર
ઉત્તરપ્રદેશમાં ભાજપ સરકાર આવ્યા પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ક્રાઈમ કંટ્રોલ માટે પોલીસને એન્કાઉન્ટરની ખુલ્લી છૂટ આપી દીધી હતી. જેની અસર પણ જોવા મળી અને વિવાદ પણ થયો. અસર એ હતી કે જામીન પર છૂટેલા ગુનાખોર તેમના જામીન કેન્સલ કરીને જેલમાં જવા લાગ્યા. વિવાદ એ જ જે એન્કાઉન્ટર અંગે થાય છે.

આમ તો એ એન્કાઉન્ટર ફેક હતું અથવા એ એન્કાઉન્ટરમાં ગુનાખોર નહીં પણ નિર્દોષ માર્યો ગયો.વાત આંકડાઓની કરવામાં આવે તો યોગી સરકારના ત્રણ વર્ષમાં એન્કાઉન્ટરમાં 112 લોકોના મોત થયા હતા. સાથે જ અખિલેશ સરકારના અંતિમ ત્રણ વર્ષમાં કોઈ પણ વર્ષે એન્કાઉન્ટરનો આંકડો 10ને પાર પણ નથી પહોંચ્યો.

દેશની સ્થિતિઃ ઉત્તરપ્રદેશમાં એન્કાઉન્ટર વધ્યા પણ દેશમાં ઘટ્યા
યુપીમાં જ્યાં પોલીસ એન્કાઉન્ટરમાં મોતના કેસ વધ્યા છે. તો સાથે જ આખા દેશની વાત કરવામાં આવે તો એન્કાઉન્ટરમાં મોતના મામલા ઘટી રહ્યા છે. 2013 થી 2018 વચ્ચે પાંચ વર્ષોમાં સૌથી વધુ કેસ 2014-2015માં આવ્યા હતા.

2018માં 77% ફેક એન્કાઉન્ટર યુપીમાં થયા
6 જાન્યુઆરી 2019ના રોજ ગૃહ રાજ્યમંત્રી હંસરાજ અહીરે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, 2018માં ભારતમાં 22 ફેક એન્કાઉન્ટર થયા હતા. જેમાં 17 એટલે કે 77%થી પણ વધુ ઉત્તરપ્રદેશમાં થયા હતા. રાષ્ટ્રીય માનવાધિકાર પંચે એક RTIના જવાબમાં જણાવ્યું હતું કે, ભારતમાં 2000થી 2018 વચ્ચે 18 વર્ષમાં 1804 ફેક એન્કાઉન્ટર થયા હતા. જેમાં 811 ફેક એન્કાઉન્ટર એટલે કે 45% માત્ર ઉત્તરપ્રદેશમાં થયા હતા.

ફેક એન્કાઉન્ટરના કારણે સરકારે પાંચ વર્ષમાં 28 કરોડ 77 લાખ રૂપિયાનું વળતર આપવું પડ્યું
પોલીસ એન્કાઉન્ટરના ફેક સાબિત થવા પર સરકારે વિક્ટિમના પરિવારને વળતર આપવું પડે છે. માનવાધિકાર પંચ જ વળતરની રકમ નક્કી કરે છે. 2012થી માંડી 2017 વચ્ચે ઉત્તરપ્રદેશ સરકારે સૌથી વધુ 13 કરોડ 23 લાખ રૂપિયાનું વળતર આપવું પડ્યું હતું.

યોગી સરકાર આવ્યાના પહેલા એન્કાઉન્ટરમાં આસામ-છત્તીસગઢમાં સૌથી વધુ મોત
યોગી સરકાર આવ્યા પહેલા દેશમાં સૌથી વધુ એન્કાઉન્ટર, આસામ, મેઘાલય, છત્તીસગઢ અને ઝારખંડમાં થતા હતા. છત્તીસગઢ અને ઝારખંડ નક્સલ પ્રભાવિત છે. સાથે આસામ અને મેઘાલય પણ ઉગ્રવાદ પ્રભાવિત રહ્યા છે. યોગી સરકારના આવ્યા પછી યુપીમાં આ રાજ્યોમાં પણ વધુ એન્કાઉન્ટર થવા લાગ્યા હતા.

છેલ્લા પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં મોતના મામલામાં એક પણ પોલીસકર્મીને સજા નથી થઈ
છેલ્લા પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં મોત થવા અંગે પોલીસકર્મીઓ પર 192 કેસ થયા છે. 2017માં સૌથી વધુ 62 કેસ થયા હતા. કેસ તો નોંધાય જ છે પણ ચાર્જશીટ માત્ર 61% કેસની જ નોંધાઈ હતી. જેમાંથી એક પણ કેસમાં એક પણ પોલીસકર્મીને સજા નથી થઈ. એવું નથી કે આ માત્ર પાંચ વર્ષ દરમિયાનનો ટ્રેન્ડ છે. 2000થી 2018ની વાત કરવામાં આવે તો આ 18 વર્ષોમાં 810 પોલીસકર્મીઓ પર કેસ થયો હતો. 334 ચાર્જશીટ પણ થઈ અને માત્ર 26ને સજા થઈ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Yogi government has 7 times more encounters than Akhilesh government, 45% of fake encounters in the country also take place in UP


from Divya Bhaskar https://ift.tt/3fgOFae
via IFTTT

ટિપ્પણીઓ નથી: