લાલજી ટંડનનું 85 વર્ષની ઉંમરે નિધન, તબિયત બગડતા 40 દિવસથી લખનઉની હોસ્પિટલમાં દાખલ હતા
મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનું મંગળવારે સવારે 5.30 વાગે નિધન થયું છે. ટંડનને 11 જૂનથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તાવ આવતો હોવાના કારણે લખનઉની મેંદાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે સાંજે હોસ્પિટલ તરફથી જાહેર કરવામાં આવેલા બુલેટિનમાં તેમની સ્થિતિ ક્રિટિકલ જણાવવામાં આવી હતી. આજે સાંજે 4.30 વાગે તેમના લખનઉમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
દિકરા આશુતોષે ટ્વિટ કરી નિધનની માહિતી આપી
बाबूजी नहीं रहे
— Ashutosh Tandon (@GopalJi_Tandon) July 21, 2020
ટંડનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. લિવરમાં તકલીફ હોવાની કારણે 14 જૂને ઈમરજન્સી ઓપરેશન કરવામાં આવ્યું હતું. ટંડનની હાલતમાં સુધારો થતો ન હોવાથી કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશની રાજ્યપાલ આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશનો અતિરિક્ત કાર્યભાર સોંપવામાં આવ્યો હતો.
તેમને કાયદાની સારી સમજ હતી: મોદી
મોદીએ ટ્વિટ કરી, લાલજી ટંડને સમાજ માટે કરેલા કામો માટે હંમેશા યાદ રાખવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં ભાજપને મજબૂત કરવામાં તેમણે મહત્વની ભૂમિકા નીભાવી છે. તેઓ એક કુશળ પ્રશાસક હતા. કાયદાકીય મામલે તેમને ઉંડી સમજ હતી. અટલ બિહારી વાજપેયી સાથે તેઓ ઘણાં સમય સુધી જોડાયેલા રહ્યા હતા. દુખના આ સમયે હું તેમના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરું છું.
Shri Lalji Tandon was well-versed with constitutional matters. He enjoyed a long and close association with beloved Atal Ji.
— Narendra Modi (@narendramodi) July 21, 2020
In this hour of grief, my condolences to the family and well-wishers of Shri Tandon. Om Shanti.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3jmjHjn
via IFTTT
ટિપ્પણીઓ નથી: