જ્યારે શાળા શરૂ થશે, તો બાળકોના બેગમાં ભારણ ઓછુ હશે; પરંતુ ક્રિકેટમાં આજથી નિયમોનું ભારણ વધશે
1.બાળકોનો તણાવ કહીએ કે તેમના માતાપિતાનો તણાવમાં ઘટાડો કરતા સમાચાર
આજે શરૂઆત બાળકોથી કરીશું. CBSE શાળામાં ભણતા બાળકો સાથે સાથે તેમના માતા-પિતાને પણ ખુશ કરતા એક સમાચાર મળ્યા છે. કોરોનાને ધ્યાનમાં રાખતા 9માંથી 12માં ધોરણના બાળકોનો અભ્યાસક્રમ ઘટાડવાનો નિર્ણય કરાયો છે. અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરાયો છે.
CBSEની વેબસાઈટ પર 9માં-10માં અને 11માં-12માં ધોરણનો અભ્યાસક્રમ આવી ગયો છે. તેને તમે અહીંયા ક્લીક કરીને જોઈ શકો છો.
હવે થશે એવું કે જે અભ્યાસક્રમ ઘટાડાયો છે, તે ઈન્ટરનલ અસેસમેન્ટ અને વર્ષના અંતમાં યોજનારી પરીક્ષાનો ભાગ નહીં હોય. શાળા હાલ તો બંધ છે, પરંતુ જ્યારે પણ ફરી શરૂ થશે તો આ નિર્ણય બાળકોના દફતરના ભારણને થોડું ઓછું કરી દેશે.
2.અમેરિકામાં જે વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસ થઈ ગયા હોય, તેમણે દેશ છોડવો પડશે
વાત બાળકોથી શરૂ થઈ હતી, હવે થોડા મોટા બાળકોની પણ વાત કરી લઈએ. અમેરિકન સરકારે કહ્યું છે કે જે વિદ્યાર્થીઓના ક્લાસીસ ઓનલાઈન થઈ ગયા છે, તેમણે પોત પોતાના દેશ પાછા ફરવું પડશે. આનાથી 10 લાખ વિદ્યાર્થીઓ પર અસર થશે. જેમાંથી 2 લાખ બાળકો તો ભારતના છે.
3. મહારાષ્ટ્રમાં આજથી હોટલ શરૂ થશે
દેશમાં કોરોનાના કેસ સવા સાત લાખ સુધી પહોંચી ગયા છે. જેમાંથી બે લાખથી વધુ કેસ માત્ર મહારાષ્ટ્રમાં છે, પરંતુ તેમ છતા મહારાષ્ટ્રમાં આજે એટલે કે 8 જુલાઈથી હોટલ, રેસ્ટોરન્ટ્સ અને પર્યટક સ્થળોને ખોલવાનો નિર્ણય કરી દેવાયો છે.
આખા રાજ્યમાં જે હોટલ અને રેસ્ટોરન્ટ્સ 25 માર્ચથી બંધ હતા, હવે તે 33% કેપિસિટી સાથે શરૂ થઈ શકશે. 33% કેપેસિટી એટલે કે જો ત્યાં 100 લોકોની વ્યવસ્થા હશે પહેલા તો હવે માત્ર 33 લોકો જ બેસી શકશે. જો કે, કન્ટેનમેન્ટ ઝોનમાં પ્રતિબંધ યથાવત રહેશે.
4.118 દિવસ પછી આજથી ફરિ ઈન્ટરનેશનલ ક્રિકેટ શરૂ થઈ રહી છે
ઈંગ્લેન્ડ-વેસ્ટઈન્ડીઝ વચ્ચે ત્રણ ટેસ્ટની સીરિઝ આજથી શરૂ થવા જઈ રહી છે. પહેલી ટેસ્ટ સાઉથેમ્પટનમાં રમાશે. ભારતમાં આ મેચ બપોરે 3.30 વાગ્યે દેખાશે. કોરોનાએ આ મેચના ઘણા નિયમ બદલી દીધા છે
સૌથી મોટો ફેરફાર બોલ ચમકાવવા અંગેનો છે. ટેસ્ટમાં બોલની સ્વિંગ મેચના પાસા પલટી દે છે. જેના માટે બોલનું ચમકવું જરૂરી હોય છે. ચમક લાવવા માટે બોલર લાળનો ઉપયોગ કરે છે, પરંતુ હવે આવું નહી કરી શકાય. હવે એવો નિયમ બનાવાયો છે કે બોલ પર લાળ લગાવવાનો પ્રયાસ કર્યો તો બે વખત વોર્નિંગ મળશે. ત્રીજી વખત આવું કર્યુ તો 5 એક્સ્ટ્રા રન બેટિંગ ટીમને મળી જશે. પછી બોલ સેનેટાઈઝ કરાશે, ત્યારપછી જ મેચ શરૂ થશે.
ક્રિકેટ / 118 દિવસ પછી કાલથી નવા નિયમો સાથે ક્રિકેટની વાપસી, ખેલાડીઓ બોલ બૉય બનશે, મેદાનમાં હાજર તમામનું ચિપથી ટ્રેકિંગ પણ થશે
5. વિકસ દુબે સાથે જોડાયેલો દરેક ખુલાસો ચોંકાવનારો છે
પાંચ દિવસ થઈ ગયા છે, પણ કાનપુરમાં 8 પોલીસવાળાઓની જીવ લેનારો વિકાસ દુબે હજુ સુધી ફરારછે. અત્યાર સુધી લૂંટ, હત્યા જેવા ગુનાઓમાં 60 કેસ થયા હોવા છતા વિકાસ દુબે ટોપ-10 ગુનામાં સામેલ ન હતો. તેને શોધવા માટે 100 પોલીસકર્મીઓની ટીમ બનાવાઈ છે, પરંતુ 200થી વધુ પોલીસકર્મી STFના રડાર પર છે. પહેલા ચૌબેપુર પોલીસ સ્ટેશન જ સવાલોના ઘેરાવામાં હતું. હવે બિલ્હૌર, કકવન અને શિવરાજપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પણ શંકાના ઘેરાવામાં છે.
આટલા પોલીસકર્મી જ્યારે રડાર પર છે તો તમે વિચારી શકો છો કે સંડોવણી કેટલી હદે હશે. આ સાથે જ ભાસ્કરની ટીમ મંગળવારે બિકરુ ગામ પહોંચી હતી. અહીંયા શેરીઓ સુની છે. 150 પોલીસ કર્મી ગામના ખૂણે ખૂણે તહેનાત છે. 20 ઘરોના પુરુષ તો બીકના માર્યે ફરાર થઈ ગયા છે. બાકીના ઘરોની મહિલાઓ મીડિયાકર્મીઓને પુછી રહી છે કે શું પોલીસ અમારા ઘરવાળાઓને પુછપરછ કરીને છોડી મુકશે.
6. તમારો આજનો દિવસ કેવો રહેશે?
આજનો દિવસ કુંભ સહિત 7 રાશિઓ માટે ફાયદાકારક રહેશે. આ સાત રાશિઓમાં-મિથુન, સિંહ, તુલા, વૃશ્વિક, મકર, કુંભ અને મીન. આ રાશિ વાળા લોકોને જોબ અને બિઝનેસમાં કિસ્મતનો સાથ મળી શકે છે. બાકીની પાંચ રાશિઓ વાળા લોકોને દિવસભર સંભાળીને રહેવું પડી શકે છે.
8 જુલાઈનું રાશિફળ / બુધવારે મિથુન જાતકોનું પારિવારિક અને સામાજિક સ્તરે વર્ચસ્વ વધશે
તમારા માટે વધુ 2 સમાચાર, કદાચ તમે વાંચવા માંગો
પોલીસે ભણસાલીને 30 સવાલ પુછ્યા હતા
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ કેસમાં મુંબઈ પોલીસે સોમવારે ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી સાથે લગભગ 3 કલાક સુધી પુછપરછ કરી હતી. ભાસ્કરને મળેલી માહિતી પ્રમાણે, પોલીસે ભણસાલીને 30 સવાલ પુછ્યા હતા. ભણસાલીએ જણાવ્યું કે, તેમણે ક્યારે સુશાંતને કોઈ ફિલ્મમાંથી ડ્રોપ નથી કર્યો અને ન તો રિપ્લેસ કર્યો છે.
સુશાંત સુસાઈડ કેસ / સંજય લીલા ભણસાલીએ પોલીસને કહ્યું, યશરાજ બેનરને કારણે એક્ટર ‘રામલીલા’-‘બાજીરાવ મસ્તાની’માં કામ ના કરી શક્યો
UPના 5 મોટા ગેંગસ્ટર્સની કહાની
વિકાસ દુબેનો મામલો એ વાતની યાદ અપાવે છે કે ઉત્તરપ્રદેશમાં આ પ્રકારના ગેંગસ્ટર પહેલા પણ હતા. ફુલન દેવીએ વેર વાળવા માટે 22 ઠાકુરોને લાઈનમાં ઊભા રાખીને ગોળી મારી દીધી હતી. દદુઆ એટલે કે બુંદેલખંડવા વીરપ્પને ગોળી મારીને 9 લોકોની હત્યા કરી દીધી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VYspKF
via IFTTT
ટિપ્પણીઓ નથી: