સચિન પાયલટ આજે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે; આજે જ ભાજપની બેઠક, વસુંધરા રાજે જયપુર જશે

સચિન પાયલટને સરકાર અને પાર્ટીમાં પદ પરથી હટાવાયા છે. પાયલટને ડેપ્યુટી સીએમ અને પ્રદેશ પાર્ટી અધ્યક્ષ પદ પરથી હટાવાયાના એક કલાક પછી ગેહલોત સામે આવ્યા અને કહ્યું કે, રાહ જોઈ કે ઈશ્વર તેમને સદબુદ્ધિ આપે, પણ આજે પણ તેઓ ન આવ્યા.
આ નિવેદન ધારાસભ્ય પક્ષની બેઠક પછી આવ્યું હતું. બેઠક પછી જ સાવચેતીના ભાગરૂપે તમામ ધારાસભ્યોને બસથી હોટલ મોકલી દેવાયા હતા. આ હોટલમાંથી CM મંત્રીઓને લઈને તેમના આવાસ પર પહોંચ્યા હતા, જ્યાં હાલ કેબિનેટની મીટિંગ યોજાઈ હતી. આ દરમિયાન વિભાગો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

તો આ તરફ પાર્ટીની કાર્યવાહી પછી પાયલટે પોતાના ઈરાદા વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે, સત્ય પરેશાન થઈ શકે છે, પણ હારી ન શકે. કહેવામાં આવી રહ્યું છે કે બુધવારે સવારે પાયલટ પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. આ સાથે જ વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં ભાજપમાં પણ હલચલ શરૂ થઈ ગઈ છે.બુધવારે જ જયપુરમાં વરિષ્ઠ ભાજપ નેતાઓની બેઠક યોજાવાની છે. જેમાં સામેલ થવા માટે વસુંધરા રાજે ધૌલપુરથી જયપુર પહોંચશે.

મહત્વના અપડેટ્સ

  • ગેહલોતના આવાસ પર કેબિનેટની બેઠક રાતે સવા દસ વાગ્યે ખતમ થઈ. વિભાગો અંગે ચર્ચા કરાઈ.
  • જયપુરમાં બુધવારે ભાજપના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાવાની છે. વસુંધરા પણ હાજરી આપશે.
  • સમાચાર સામે આવી રહ્યા છે કે બુધવારે સવારે 10 વાગ્યે મીડિયા સાથે વાતચીત કરશે.
  • પાયલટની જગ્યાએ ગોવિંદ સિંહ ડોટાસરાને રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ કમિટિના નવા અધ્યક્ષ બનાવાયા છે.
  • પાયલટ સમર્થક વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણા પાસેથી પણ મંત્રી પદ છીનવી લેવાયું છે.
  • ગણેશ ગોગરા ધારાસભ્યને પ્રાંત યુવા કોંગ્રેસ અને હેમ સિંહ શેખાવતની પ્રદેશ સેવા દળના અધ્યક્ષ તરીકેની નિમણૂક કરવામાં આવી છે.

કાર્યવાહી ગેહલોતે પાયલટ પર કટાક્ષ કર્યો
ધારાસભ્ય પક્ષની બેઠક પછી મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે પ્રથમ વખત દેશ ખતરામાં આવી રહ્યો છે. જે સરકાર દેશમાં આવી છે, તે નાણાંના જોરે રાજ્યની બીજી સરકારને તોડી રહી છે. સરકારો બદલાઈ છે, રાજીવ ગાંધી પણ ચૂંટણી હાર્યા છે. આ દેશમાં ઘણું થયું છે. તમે વિચારો પાકિસ્તાનમાં પણ આવું થતું નથી. પાયલટ, ભાજપના હાથમાં રમી રહ્યાં છે. જે મધ્યપ્રદેશમાં મેનેજ કરી રહ્યાં હતા, તેઓ જ અહીં લાગ્યા છે.
તેમણે કહ્યું કે તમે વિચારી શકો છો કે તેમનો ઈરાદો શું છે ? તમે જણાવો 122 ધારાસભ્યો અમારી સાથે છે. 102 કોંગ્રેસના છે. આવી સ્થિતિમાં શું કોંગ્રેસના કોઈ ધારાસભ્ય ફલોર ટેસ્ટની માંગ કરી શકે છે.

ઓબ્ઝર્વર સુરજેવાલાએ કહ્યું કે, કોંગ્રેસે નાની વયમાં જ પાયલટને ઘણું બધું આપ્યું છે
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, કોંગ્રેસ નેતૃત્વએ વારંવાર કહ્યું કે, જે રાજકીય શક્તિ સચિન પાયલટને નાની વયમાં આપવામાં આવી, તે કદાચ કોઈને નથી મળી. 30-32 વર્ષની ઉંમરમાં તેમને કેન્દ્રીય મંત્રી બનાવાયા હતા. 34 વર્ષની ઉંમરમાં રાજસ્થાનના કોંગ્રેસ અધ્યક્ષ પદની જવાબદારી આપવામાં આવી. 40 વર્ષની ઉંમરમાં ઉપ મુખ્યમંત્રી બનાવાયા. આટલા ઓછા સમયમાં કોઈને પ્રોત્સાહિત કરવાનો અર્થ એ છે કે સોનિયા અને રાહુલના આશીર્વાદ તેમની સાથે છે. છેલ્લા 4 દિવસથી પણ કોંગ્રેસ કહેતી હતી કે, સચિન પાયલટ આવશે તો તેમનું સાંભળવામાં આવશે. પરંતુ દુઃખ એ વાતનું છે કે પાયલટ અને તેમના ઘણા સાથીઓ 8 કરોડ રાજસ્થાનીઓ દ્વારા ચૂંટાયેલી સરકારને પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પાયલટે કહ્યું કે, સત્ય પરેશાન થઈ શકે છે, હારી ન શકે

બેઠકમાં 22 ધારાસભ્યો ન પહોંચ્યા
કોંગ્રેસના ધારાસભ્યોઃ સચિન પાયલટ, રમેશ મીણા, ઈન્દ્રાજ ગુર્જર, ગજરાજ ખટાના, રાકેશ પારીક, મુરારી મીણા, પીઆર મીણા, સરેશ મોદી, ભંવર લાલ શર્મા, વેદપ્રકાશ સોલંકી, મુકેશ ભાકર, રામનિવાસ ગાવડિયા, હરીશ મીણા, બૃજેન્દ્ર ઓલા, હેમારામ ચૌધરી, વિશ્વેન્દ્ર સિંહ, અમર સિંહ, દીપેન્દ્ર સિંહ અને ગજેન્દ્ર શક્તાવત.
અપક્ષ ધારાસભ્યઃ સુરેશ ટાંક, ઓમ પ્રકાશ અને ખુશવીર સિંહ જોજાવર.

રાજસ્થાન વિધાનસભાની વર્તમાન સ્થિતિ: કુલ સીટ: 200

પાર્ટી ધારાસભ્યોની સંખ્યા
કોંગ્રેસ 107
ભાજપ 72
અપક્ષ 13
RLP 3
BTP 2
ડાબેરી 2
RLD 1


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ashok Gehlot Sachin Pilot: Rajasthan Political Crisis Update: Sachin Pilot can hold a press conference today; BJP meeting today, Vasundhara Raje will go to Jaipur


from Divya Bhaskar https://ift.tt/2WjdURZ
via IFTTT

ટિપ્પણીઓ નથી: