હવે અમદાવાદમાં પ્રવેશતા લોકોનું પહેલા સ્ક્રિનિંગ થશે, શહેરની બોર્ડર પર આરોગ્યની ટીમ તહેનાત કરાશે
શહેરમાં હાલ લોકલ સંક્રમણમાં ધીરે-ધીરે ઘટાડો થઈ રહ્યો છે. જુલાઈ મહિનાથી કેસની સંખ્યા પણ 150થી 200ની આસપાસ સામે આવે છે. પરંતુ શહેરની પરિસ્થિતી ફરી બગડે નહીં તે માટે તંત્રેએ હવે અમદાવાદમાં પ્રવેશતા તમામ રસ્તાઓ પર આરોગ્ય ટીમ ઉભી રાખશે. તેમજ અન્ય જિલ્લાઓમાંથી આવતા વાહનનોની ચેકિંગ તેમજ સ્ક્રિનિંગ પણ કરવામાં આવશે.
ગીતા મંદિર એસ.ટી. બસ સ્ટોપમાં 650 મુસાફરોનું સ્ક્રિનિંગ થયું હતું, 6 પોઝિટિવ આવ્યાં
સોમવારે AMC દ્વારા શહેરના એસટી સ્ટેશન, નેશનલ હાઈવે સહિતમાં 1455 જેટલા કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાથી 15ની આસપાસ લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા જેને જોતા હવે શહેરમાં પ્રવેશ થતા તમામ વાહનોનું ચેકિંગ તેમજ સ્ક્રિનિંગ કરવાનો નિર્ણય લેવાયો છે. નોંધનીય છેકે, ગઈકાલે ગીતા મંદિર એસ.ટી.બસ સ્ટેન્ડ પર આવતી બસોમાં મુસાફરી કરનાર 560 લોકોના રેપિડ એન્ટિજન ટેસ્ટ હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા. જેમાં 6લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર સચેત થઈ ગયું છે. ત્યારબાદ કૃષ્ણનગર એસ.ટી બસ સ્ટોપ પર પણ 100થી વધુ મુસાફરોના ટેસ્ટ થયા હતા. કોરોના સંક્રમણને અટકાવવા માટે હવે AMC દ્વારા શહેરમાં પ્રવેશવાના તમામ રસ્તે, બસ મથકો પર ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઇ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/308RST2
via IFTTT
ટિપ્પણીઓ નથી: