ભારતની રણનીતિ સફળ: સરહદેથી ચીની સેનાએ કરી પીછેહઠ, સૈનિકો, ટેન્કો પરત લેવાનું શરૂ થયું


- આજે રાજનાથસિંહ લદ્દાખની સ્થિતિની જાણકારી સંસદમાં આપશે, ચીનના દાવા અંગે કોઇ નિવેદન નહીં

બેજિંગ, તા. 10 ફેબ્રુઆરી, 2021, બુધવાર

સરહદે ભારત અને ચીન બન્નેએ પોતાના હિથયારબંધ સૈનિકોને ખડક્યા હતા, સાથે જ ટેંકોને પણ તૈનાત કરી હતી. જોકે હવે ચીનનો દાવો છે કે સિૃથતિ શાંત પડી જવાથી બન્ને દેશોએ સૈનિકો અને ટેંકોને પરત લેવાનું શરૂ કરી દીધુ છે. 

ચીનના વિદેશ મંત્રાલય દ્વારા જારી એક નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે અમે ભારત સાથે સહમતી બાદ અમારા હિથયારધારી સૈનિકો અને ટેંકોને ચીન સરહદેથી પરત લઇ રહ્યા છીએ. અને ભારત તરફથી પણ આ જ પ્રકારનું પગલુ ભરવામાં આવી રહ્યું છે.

જોકે ભારત તરફથી આ અંગે કોઇ જ નિવેદન હાલ આપવામાં નથી આવ્યું. બીજી તરફ કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ લદ્દાખમાં સરહદે શું સિૃથતિ છે તેની જાણકારી ગુરૂવારે સંસદમાં આપવાના છે.

એવા અહેવાલો છે કે બન્ને દેશો વચ્ચે સૈન્યની એક ઉચ્ચસ્તરની બેઠક 24મી જાન્યુઆરીએ યોજાઇ હતી, જેમાં હિથયારધારી સૈનિકો અને ટેંકો વગેરેને પરત બોલાવી લેવા માટે આ સમજૂતી થઇ હતી.

ખાસ કરીને લદ્દાખમાં સિૃથતિ વધુ તંગદીલ બની હતી, ગલવાનમાં બન્ને દેશના જવાનો આમને સામને આવી ગયા હતા જેમાં ભારતના જવાનો પણ શહીદ થયા હતા અને ચીનના જવાનો પણ માર્યા ગયા હતા.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tP8bm6
via IFTTT

ટિપ્પણીઓ નથી: