હરિદ્વારમાં કાવડયાત્રીઓ માટે 14 દિવસનું ક્વોરન્ટીન જરૂરી, દેવઘરમાં 200 વર્ષમાં પહેલીવાર કાવડ મેળો યોજાશે નહીં

હિન્દી કેલેન્ડર પ્રમાણે 6 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી શ્રાવણ મહિનો રહેશે. જ્યારે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે 21 જુલાઈથી 19 ઓગસ્ટ સુધી શ્રાવણ મહિનો રહેશે. મોટાભાગે દેશભરમાં આ મહિને કાવડ યાત્રા થાય છે, પરંતુ આ વર્ષે બોલબમનો જયકાર કરતાં કાવડ યાત્રીઓ રસ્તા ઉપર જોવા મળશે નહીં. ઉત્તરાખંડ, ઝારખંડ, મધ્યપ્રદેશ, હરિયાણા, બિહાર અને ઉત્તરપ્રદેશ સહિત ઉત્તર ભારતના મોટાભાગના શિવાલયોમાં કાવડયાત્રીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે.

હરિદ્વારમાં કાવડ યાત્રી આવ્યાં ત્યારે તેમણે 14 દિવસ ક્વોરન્ટીનમાં રહેવું પડશે, તે પણ પોતાના ખર્ચે. અમે તમને આ રાજ્યોના પ્રમુખ દેવસ્થાનોમાં કાવડયાત્રા અને શ્રાવણમાં દર્શનને લઇને શું નિર્દેશ જાહેર કરવામાં આવ્યાં છે અને તૈયારીઓ શું છે તેના વિશે જણાવશું.

ગંગાનું મહત્ત્વ શિવ સાથે જોડાયેલું છે. શિવની જટાઓથી વહતી ગંગા નદીના જળથી અભિષેકનું મહત્ત્વ છે. કાવડ યાત્રીઓ ઉપર પ્રતિબંધના કારણે આ વર્ષે શ્રાવણ મહિનામાં લગભગ 200 કરોડનું નુકસાન થવાનું અનુમાન છે.
ગંગાનું મહત્ત્વ શિવ સાથે જોડાયેલું છે. શિવની જટાઓથી વહતી ગંગા નદીના જળથી અભિષેકનું મહત્ત્વ છે. કાવડ યાત્રીઓ ઉપર પ્રતિબંધના કારણે આ વર્ષે શ્રાવણ મહિનામાં લગભગ 200 કરોડનું નુકસાન થવાનું અનુમાન છે.

હરિદ્વારથી ગંગાજળ ભરવા માટે રાજ્યની મંજૂરીઃ-
હરિદ્વારમાં ગયા વર્ષે શ્રાવણમાં લગભગ 3.5 કરોડ કાવડ યાત્રીઓ આવ્યાં હતાં. છેલ્લાં એક દાયકામાં અહીં કાવડયાત્રીઓનો આંકડો ખૂબ જ વધી ગયો છે. મોટાભાગે અહીં બહારના રાજ્યો ઉત્તરપ્રદેશ, હિમાચલ અને હરિયાણાથી લોકો ગંગાજળ ભરીને આવે છે. ગંગાના જળથી અભિષેક કરવાનું મહત્ત્વ છે. સ્થાનીય વેપારીઓ પ્રમાણે આ એક મહિનામાં અહીં 100 થી 150 કરોડનો બિઝનેસ થાય છે.

  • હરિદ્વારમાં બહારના રાજ્યો અને ઉત્તરાખંડના અન્ય જિલ્લાથી આવેલાં યાત્રીઓને જિલ્લાની સીમા ઉપર જ રોકવામાં આવશે.
  • અન્ય સીમા સાથે જોડાયેલાં રાજ્યો ઉત્તરપ્રદેશ, હિમાચલ અને હરિયાણાના અધિકારીઓ સાથે હરિદ્વારના અધિકારીઓએ મીટિંગ કરી છે.
  • હરિદ્વાર પ્રશાસને નક્કી કર્યું છે કે, જો કોઇ કાવડયાત્રી હરિદ્વાર આવશે તો તેણે પોતાના ખર્ચે 14 દિવસ ક્વોરન્ટીનમાં રહેવું પડશે.
  • લોકો કાવડમાં ગંગાજળ ભરી શકશે, પરંતુ તેમના માટે તેમણે પોતાના રાજ્યોથી પરમિશન લઇને આવવું પડશે.
મહાકાળેશ્વર મંદિરમાં 8 જૂનથી દર્શન શરૂ થઇ ગયાં છે
મહાકાળેશ્વર મંદિરમાં 8 જૂનથી દર્શન શરૂ થઇ ગયાં છે

મહાકાળમાં પ્રવેશ મળશે નહીં-
અહીં શ્રાવણમાં દર વર્ષે 20 થી 25 લાખ લોકો આવે છે. મોટાભાગે શ્રાવણના સોમવારે અહીં રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રથી આવતાં યાત્રીઓ વિશાળ સંખ્યામાં રહે છે. શ્રાવણના સોમવારે ભગવાન મહાકાળની સવારી પણ કાઢવામાં આવે છે, જેને જોવા માટે મોટી સંથ્યામાં લોકો ઉજ્જૈન આવે છે.

  • આખા શ્રાવણમાં કાવડયાત્રીઓ માટે પ્રવેશ ઉપર પ્રતિબંધ
  • ઉજ્જૈનના મહાકાળ મંદિરથી કાઢવામાં આવતી શ્રાવણ સવારીમાં પણ લોકો સામેલ થઇ શકશે નહીં
  • સવારીનો રસ્તો પણ નાનો કરી દેવામાં આવ્યો છે. હાલ મંદિરમાં ત્રણથી પાંચ હજાર લોકો રોજ દર્શન કરી રહ્યા છે.
  • દર્શન માટે મંદિરની વેબસાઇટ અથવા એપ ઉપર એક દિવસ પહેલાં મંજૂરી લેવી પડશે.
ઓમકારેશ્વરમાં જ્યોતિર્લિંગના બે સ્વરૂપ માનવામાં આવે છે, પહેલાં ઓમકારેશ્વર અને બીજું મમલેશ્વર મહાદેવ
ઓમકારેશ્વરમાં જ્યોતિર્લિંગના બે સ્વરૂપ માનવામાં આવે છે, પહેલાં ઓમકારેશ્વર અને બીજું મમલેશ્વર મહાદેવ

ઓમકારેશ્વરમાં પણ નર્મદા કિનારે કાવડયાત્રીઓ જોવા મળશે નહીં-
મધ્યપ્રદેશના બીજા જ્યોતિર્લિંગ ઓમકારેશ્વરથી પણ નર્મદાનું જળ ભરવા વિશાળ સંખ્યામાં લોકો આવે છે. ઓમકારેશ્વરમાં નર્મદા પરિક્રમા અને ઓમકારેશ્વર પર્વતની પરિક્રમાનું પણ ખાસ મહત્ત્વ છે. નર્મદા કિનારે વસેલા આ વિસ્તારમાં શ્રાવણમાં 15 લાખથી વધારે લોકો પહોંચે છે. અહીં પણ શ્રાવણના દરેક સોમવારે ભગવાન ઓમકારેશ્વરની સવારી કાઢવામાં આવે છે.

  • અહીં પણ ભીડ એકઠી થવા ઉપર પ્રતિબંધ છે. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો હેઠળ જ દર્શનની મંજૂરી છે.
  • કાવડ યાત્રીઓને પણ અહીં સમૂહમાં આવવાની મંજૂરી રહેશે નહીં.
  • નર્મદાથી જળભરીને મોટાભાગના લોકો મહાકાળેશ્વર જ્યોતિર્લિંગનો અભિષેક કરવા આવે છે.
  • મહાકાળેશ્વરમાં પ્રતિબંધ હોવાના કારણે આ વર્ષે નર્મદા કિનારે પણ યાત્રીઓ ઓછી સંખ્યામાં જોવા મળશે.
દેવઘરના જ્યોતિર્લિંગ બેજનાથને લઇને ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રના પરલીમાં વૈદ્યનાથ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે પરંતુ ધર્મગુરુઓ આ મંદિરને માન્યતા આપી છે.
દેવઘરના જ્યોતિર્લિંગ બેજનાથને લઇને ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રના પરલીમાં વૈદ્યનાથ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે પરંતુ ધર્મગુરુઓ આ મંદિરને માન્યતા આપી છે.

દેવઘરમાં 200 વર્ષમાં પહેલીવાર કાવડ મેળો યોજાશે નહીં-
ઝારખંડના દેવઘરના વેદ્યનાથ જ્યોતિર્લિંગમાં દર વર્ષે વિશાળ સંખ્યામાં કાવડયાત્રીઓ આવે છે. દર વર્ષે શ્રાવણમાં લગભગ 20 લાખ લોકો અહીં દર્શન કરે છે. દેવઘરમાં 100-150 કિમી પગપાળા ચાલીને પણ કાવડયાત્રીઓ ગંગા જળ ભરીને લાવે છે અને ભગવાન વૈદ્યનાથનો અભિષેક કરે છે. અહીંનો કાવડ મેળો પણ પ્રસિદ્ધ છે.

  • ઝારખંડમાં 31 જુલાઈ સુધી લોકડાઉન વધી જવાના કારણે અહીં 200 વર્ષમાં પહેલીવાર કાવડ મેળો આયોજિત થશે નહીં.
  • કાવડયાત્રીઓના પ્રવેશ અને મંદિર ખોલવાને લઇને ઝારખંડ હાઇરોર્ટમાં 3 જુલાઈએ નિર્ણય લેવાશે.
  • આ સમયે ઝારખંડમાં બધા દેવાલય બંધ છે, તેમને ખોલવા માટે હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ થઇ ગઇ છે.
  • સરકારે પોતાનો નિર્ણય સ્પષ્ટ કરી દીધો છે. મુખ્યમંત્રી હેમંત સૌરેને પણ બાબા વૈદ્યનાથ પાસે માફી માંગીને કાવડ મેળો આયોજિત ન કરવાની ઘોષણા કરી છે.

ઉત્તરપ્રદેશમાં પણ પ્રતિબંધઃ-
ઉત્તરપ્રદેશના વારણસી, ગોરખપુર, પ્રયાગરાજ વગેરેમાં કાવડયાત્રીઓની ભીડ રહે છે. પ્રયાગરાજના સંગમથી જળ ભરીને કાશી વિશ્વનાથનો અભિષેક કરવાની પરંપરા છે. ગોરખપુરના શિવાલયોમાં પણ વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ અભિષેક માટે પહોંચે છે. અહીં પણ આ બધી જગ્યાએ હાલ પ્રતિબંધ રહેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Haridwar requires 14-day quarantine for yatra pilgrims, Kavad Mela will not be held in Deoghar for the first time in 200 years


from Divya Bhaskar https://ift.tt/3irS0Fy
via IFTTT

ટિપ્પણીઓ નથી: