ઉજ્જૈનના મહાકાળ મંદિરમાં 250 વર્ષમાં પહેલીવાર ભક્તો વર્ષમાં એકવાર ખુલતા નાગચંદ્રેશ્વર મંદિરમાં પૂજન કરી શકશે નહીં

શનિવાર, 25 જુલાઈએ નાગ પાંચમ છે. દર વર્ષે માત્ર આ જ દિવસે ઉજ્જૈનના મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના શિખર પર સ્થિત નાગચંદ્રેશ્વર ભગવાનના પટ સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવે છે. પરંતુ, આ વર્ષે કોરોનાવાઇરસના કારણે શ્રદ્ધાળુઓ પ્રત્યેક્ષ રીતે નાગચંદ્રેશ્વરની દુર્લભ પ્રતિમાના દર્શન કરી શકશે નહીં. મંદિર સમિતિની વેબસાઇટ અને સોશિયલ મીડિયા ઉપર ભક્તો માટે લાઇવ દર્શનની વ્યવસ્થા કરવામાં આવશે.

ઉજ્જૈનના પંચાંગ નિર્માતા અને શાસ્ત્રોના જાણકાર જ્યોતિષાચાર્ય પં. આનંદ શંકર વ્યાસના જણાવ્યાં પ્રમાણે, મહાકાળેશ્વર જ્યોતિર્લિંગનું પૌરાણિક મહત્ત્વ છે. હજારો વર્ષ જૂના શાસ્ક્ષોમાં પણ મહાકાળેશ્વરનો ઉલ્લેખ છે. પરંતુ મહાકાળ મંદિરની વર્તમાનનો ઇતિહાસ 250-300 વર્ષ જૂનો છે. મુઘલોના સમયમાં પ્રાચીન મહાકાળ મંદિર નષ્ટ થઇ ગયું હતું. ત્યાર બાદ મરાઠા રાજાઓએ ઉજ્જૈન ઉપર રાજ કર્યું. રાણોજી સિંધિયાએ પોતાના શાસનકાળમાં મહાકાળ મંદિરનું નિર્માણ ફરીથી કરાવ્યું હતું.

મંદિર નિર્માણ બાદ સમયે-સમયે અલગ-અલગ રાજાઓએ તેનું સમારકામ કરાવ્યું. જ્યારે મંદિરનું ફરી નિર્માણ થયું, ત્યારે નાગચંદ્રેશ્વરની મૂર્તિ મંદિરની ઉપર એક દીવાલમાં લગાવી દેવામાં આવી હતી. જોકે, આ મૂર્તિ મુઘલો દ્વારા નષ્ટ કરી દેવામાં આવેલાં મંદિરના અવશેષોમાંથી મળી હતી. પં. વ્યાસના જણાવ્યાં પ્રમાણે, નાગદેવની પૂજા માત્ર નાગપંચમીના દિવસે જ કરવાનું મહત્ત્વ છે. એટલે મહાકાળેશ્વર મંદિરના ત્રીજા માળે સ્થિત નાગચંદ્રેશ્વર ભગવાનના પટ નાગપંચમીના દિવસે જ ખોલવામાં આવે છે.

નાગચંદ્રેશ્વરની પ્રતિમા શિવ-શક્તિનું સાકાર સ્વરૂપ છે
નાગચંદ્રેશ્વરની પ્રતિમા શિવ-શક્તિનું સાકાર સ્વરૂપ છે

નાગ આસન ઉપર વિરાજિત શિવજી અને પાર્વતીજીની દુર્લભ પ્રતિમા

મંદિરમાં નાગચંદ્રેશ્વરની દુર્લભ પ્રતિમા સ્થાપિત છે. તે 11મી સદીની ઉલ્લેખવામાં આવે છે. આ પ્રતિમામાં ફેણ ફેલાવીને નાગ આસન ઉપર શિવ-પાર્વતી વિરાજિત છે. મહાકાળેશ્વર મંદિરના સૌથી ઉપરના માળમાં આ પ્રતિમા સ્થાપિત છે. નાગચંદ્રેશ્વર મંદિરમાં પ્રવેશ કરતાં જ દીવાલ ઉપર ભગવાન નાગચંદ્રેશ્વરની પ્રતિમા જોવા મળે છે.

ભક્તો માટે ઓનલાઇન દર્શનની વ્યવસ્થા રહેશે

મહાકાળ મંદિરના વ્યવસ્થાપક સુજાન રાકતના જણાવ્યાં પ્રમાણે, કોરોના મહામારીના કારણે નાગપાંચમે સામાન્ય શ્રદ્ધાળુઓ નાગચંદ્રેશ્વરના દર્શન કરી શકશે નહીં. શ્રદ્ધાળુઓ માટે મંદિરની વેબસાઇટ https://ift.tt/2YWj8Wm અને સોશિયલ મીડિયા ઉપર ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરવામાં આવશે. આ સિવાય માત્ર મધ્યપ્રદેશના ભક્તોને મહાકાળેશ્વર જ્યોતિર્લિંગના દર્શન પ્રી-બુકિંગના આધારે કરાવવામાં આવશે. મહામારીના કારણે અન્ય પ્રદેશના લોકોને મંદિરમાં દર્શન કરવાની મંજૂરી મળી શકશે નહીં.

મહાકાળેશ્વર દર્શન માટે મોબાઇલમાં પ્લે સ્ટોરથી મહાકાળેશ્વર મંદિરના લાઇવ દર્શન એપને ડાઉનલોડ કરવાની રહેશે. આ એપથી દર્શન માટે બુકિંગ કરવામાં આવી શકે છે. પોતાની ઇચ્છા પ્રમાણે તારીખ અને દર્શનનો સમય પસંદ કરી શકો છો. એપ પર શ્રદ્ધાળુઓ દ્વારા બધી જ જાણકારી આપ્યા બાદ SMS દ્વારા પરમિશન મળશે.

આ સિવાય ટોલ ફ્રી નંબર 18002331008 પર પણ દર્શન માટે બુકિંગ કરાવી શકો છો. 65 કરતાં વધારે ઉંમરના વડીલો, 10 વર્ષથી નાના બાળકો અને ગર્ભવતી મહિલાઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. મંદિરમાં સેનેટાઇઝેશન, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન બધા જ ભક્તોએ કરવાનું રહેશે.

શ્રાવણ મહિનામાં દર સોમવારે મહાકાળેશ્વરની વરઘોડો કાઢવામાં આવે છે. આ વર્ષે કોરોનાવાઇરસના કારણે આ વરઘોડો પરંપરાગત માર્ગથી કાઢવામાં આવશે નહીં. તેના માટે એક નાનો રસ્તો પસંદ કરવામાં આવ્યો છે. વરઘોડામાં સામાન્ય શ્રદ્ધાળુઓને પ્રવેશ મળશે નહીં. મેનેજમેન્ટ દ્વારા ભક્તોને જણાવવામાં આવ્યું છે કે, તેઓ પોતાના ઘરે રહીને ઓન લાઇન જ દર્શન કરે.
શ્રાવણ મહિનામાં દર સોમવારે મહાકાળેશ્વરની વરઘોડો કાઢવામાં આવે છે. આ વર્ષે કોરોનાવાઇરસના કારણે આ વરઘોડો પરંપરાગત માર્ગથી કાઢવામાં આવશે નહીં. તેના માટે એક નાનો રસ્તો પસંદ કરવામાં આવ્યો છે. વરઘોડામાં સામાન્ય શ્રદ્ધાળુઓને પ્રવેશ મળશે નહીં. મેનેજમેન્ટ દ્વારા ભક્તોને જણાવવામાં આવ્યું છે કે, તેઓ પોતાના ઘરે રહીને ઓન લાઇન જ દર્શન કરે.

ભાસ્કર નોલેજ

મહાકાળેશ્વર એકમાત્ર દક્ષિણામુખી જ્યોતિર્લિંગ છેઃ-

મહાકાળેશ્વર બાર જ્યોતિર્લિંગમાંથી એકમાત્ર દક્ષિણામુખી જ્યોતિર્લિંગ છે. તે બાર જ્યોતિર્લિંગમાં ત્રીજા સ્થાને આવે છે. માન્યતા છે કે, દક્ષિણામુખી હોવાના કારણે મહાકાળના દર્શનથી અસમયે મૃત્યુના ભય અને બધા જ કષ્ટોથી મુક્તિ મળી શકે છે. માત્ર આ જ મંદિરમાં રોજ સવારે ભસ્મ આરતી કરવામાં આવે છે.

ભસ્મ આરતી આ મંદિરનું મુખ્ય આકર્ષણ છે. ઉજ્જૈન, ઇન્દોરથી લગભગ 52 કિલોમીટર દૂર છે.
ભસ્મ આરતી આ મંદિરનું મુખ્ય આકર્ષણ છે. ઉજ્જૈન, ઇન્દોરથી લગભગ 52 કિલોમીટર દૂર છે.

પુરાણોમાં મહાકાળેશ્વરનો ઉલ્લેખઃ-

પ્રાચીન સમયમાં મહાકાળેશ્વર મંદિર ક્ષેત્રને મહાકાળ વનના નામે ઓળખવામાં આવતું હતું. સ્કંદ પુરાણના અવંતી ખંડ, શિવમહાપુરાણ, મત્સ્ય પુરાણ વગેરે ગ્રંથોમાં મહાકાળ વનનો ઉલ્લેખ મળી આવે છે. અહીં શિવજી એટલે મહાકાળ જ્યોતિ સ્વરૂપમાં વિરાજમાન છે. એટલે તેને મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે.

નાગપાંચમે નાગદેવતાની પ્રતિમાની પૂજા કરવામાં આવે છેઃ-

નાગપાંચમે જીવિત સાપની પૂજા કરવી અને દૂધ પીવડાવવું જોઇએ નહીં. સાપ માસાહારી જીવ છે, એટલે દૂધ તેમના માટે ઝેર સમાન હોય છે. નાગપાંચમે નાગદેવતાની પ્રતિમા કે તસવીરની પૂજા કરવી જોઇએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
For the first time in 250 years, devotees will not be able to worship at the Nagchandreshwar temple in Ujjain, which opens once a year.


from Divya Bhaskar https://ift.tt/2ZEORe8
via IFTTT

ટિપ્પણીઓ નથી: