પુલવામામાં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ, 2 જવાન ઘાયલ, એક આતંકી ઠાર

કાશ્મીર, તા. 7 જુલાઈ 2020, મંગળવાર
જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે આવેલા ગુસૂમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ હજુ ચાલુ જ છે. આ અથડામણમાં એક પોલીસ કર્મચારી અને સેનાનો એક જવાન ઘાયલ થયા છે. એક અહેવાલ પ્રમાણે પોલીસ અને આર્મીની 53 રાષ્ટ્રીય રાઈફલની ટીમ દ્વારા ગુસૂમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઓપરેશન દરમિયાન સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો.
પોલીસ અને આર્મીના જવાનોએ તે વિસ્તારને ઘેર્યો તે સાથે જ આતંકવાદીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે ગોળીબાર શરૂ કરી દીધો હતો. જો કે જોઈન્ટ ટીમ દ્વારા આતંકવાદીઓના ગોળીબારનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો અને ત્યાર બાદ અથડામણ શરૂ થઈ હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પણ જોઈન્ટ ટીમ અને આતંકવાદીઓ વચ્ચે થયેલી ફાયરિંગની પૃષ્ટિ કરી છે. એક અહેવાલ પ્રમાણે તે વિસ્તારમાં બે-ત્રણ જેટલા આતંકવાદીઓ સંતાયા છે અને આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે હજુ પણ ફાયરિંગ ચાલુ છે.
CRPF પર આતંકવાદીઓનો હુમલો
અગાઉ પાંચ જુલાઈના રોજ આતંકવાદીઓએ પુલવામા ખાતે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) પર હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ સીઆરપીએફના કાફલાને આઈઈડી બ્લાસ્ટ દ્વારા નિશાન પર લીધો હતો અને ત્યાર બાદ ફાયરિંગ કર્યું હતું. જો કે તે હુમલામાં કોઈ જાનહાનિ નહોતી નોંધાઈ અને હુમલા બાદ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31RiUAT
via IFTTT
ટિપ્પણીઓ નથી: