જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં અનુભવાયો 4.3ની તીવ્રતાનો ભૂકંપ


જમ્મુ, તા. 8 જુલાઈ 2020, બુધવાર

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાણવા મળ્યા મુજબ રાજૌરીમાં રાતે 2:12 કલાકે ધરતીકંપ આવ્યો હતો અને રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. હજુ સુધી ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારના જાનમાલને લગતા નુકસાનના સમાચાર સામે નથી આવ્યા. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોથી જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના અનેક આંચકા નોંધાઈ ચુક્યા છે. 

ભારતના અનેક વિસ્તારોમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. અરૂણાચલ પ્રદેશમાં મંગળવારે રાતે ભૂકંપના આંચકા નોંધાયા હતા પરંતુ સદનસીબે જાનમાલને લગતું કોઈ નુકસાન નહોતું નોંધાયું. તે સિવાય ઈન્ડોનેશિયા અને સિંગાપુરમાં પણ રિક્ટર સ્કેલ ઉપર 6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. 

ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના અનેક આંચકા નોંધાયા છે અને જે વિસ્તાર સિસ્મિક ઝોન 5માં આવે છે તે ભૂકંપને લઈ સૌથી વધુ ખતરનાક છે. આ ઝોનમાં સંપૂર્ણ નોર્થ ઈસ્ટની સાથે જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, ગુજરાતનું કચ્છ અને ઉત્તરી બિહાર આવે છે. 

ભૂકંપ આવવાનું કારણ

ધરતી કુલ ચાર સ્તરની બનેલી છે. ઈનર કોર, આઉટર કોર, મેટલ કોર અને ક્રસ્ટ. સૌથી ઉપરના સ્તરને લિસ્ટોફેયર કહે છે. 50 કિલોમીટરના સ્તર અનેક વર્ગમાં વહેંચાયેલા છે જેને ટેક્ટોનિક પ્લેટ કહે છે. ટેક્ટોનિક પ્લેટમાં વધારે કંપન થાય ત્યારે ભૂકંપ આવે છે. ભૂકંપ કોઈ પણ સ્થળે આવી શકે છે અને કોઈ પણ સમયે આવી શકે છે પરંતુ પ્લેટની બાઉન્ડ્રી પર તેની આશંકા વધારે હોય છે. 

હકીકતે પ્લેટ્સમાં મૂવમેન્ટના કારણે બાઉન્ડ્રી પર દબાણ વધે છે, વધુ ઉર્જા ઉત્પન્ન થાય છે અને તે જ્યારે અચાનક જ રિલિઝ થાય ત્યારે ધરતી ધૂણી ઉઠે છે. હિમાલયના કારણે એશિયા ભૂકંપ માટે વધુ સંવેદનશીલ છે. હિમાલયનું નિર્માણ પણ ઈન્ડિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટની અથડામણના કારણે જ થયું હતું. આશરે પાંચ કરોડ વર્ષ પહેલા આ અથડામણ થઈ હતી. 

વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે હિમાલયની ઉંચાઈ હજુ પણ વધી રહી છે. ઈન્ડિયન પ્લેટ્સ સતત યુરેશિયન પ્લેટ્સ તરફ ધસી રહી છે. પાતાળમાં ઈન્ડિયન અને યુરેશિયન પ્લેટ્સ અથડાવાના કારણે અંદરને અંદર જ શક્તિશાળી પ્રેશર બન્યું છે. આ પ્રેશર જ તબાહીના તરંગો બનીને બહાર આવે છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VYD2gv
via IFTTT

ટિપ્પણીઓ નથી: