રાજ્યમાં કુલ 4,57,066 ટેસ્ટમાંથી 41,027 કેસ પોઝિટિવ, અત્યારસુધીમાં કુલ 28,685 દર્દી ડિસ્ચાર્જ અને 2,034ના મોત
રાજ્યમાં સતત ત્રીજા દિવસે 800થી વધારે કોરોના પોઝિટિવ કેસ નોધાયા છે.સાથે જ રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 41,027 પર પહોંચ્યો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 2034 અને અત્યારસુધી કુલ 28685 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. છેલ્લા 24 કલાકમાં નવા 872 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાના કારણે રાજ્યમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં અમદાવાદમાં 4, સુરતમાં 3 તેમજ કચ્છ, દાહોદ અને પાટણમાં 1-1 વ્યક્તિનું મોત થયું છે.
કોરોનાના 73 દર્દીઓ વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધી 4,57,066 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 10,308 છે. જે પૈકીના 73 વેન્ટિલેટર પર છે. 10,235 દર્દીની સ્થિતિ સ્ટેબલ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે 3,16,774 લોકોને ક્વોરન્ટીન કકરાય છે. તેમાં 3,13,964 લોકો હોમ ક્વોરન્ટીન છે. તેમજ 2,810 ફેસિલિટી ક્વોરન્ટીન કરાયા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3j44a7U
via IFTTT
ટિપ્પણીઓ નથી: