સેનાને મળશે નારી શક્તિ અને રાફેલ મિસાઇલ, પરંતુ રાજસ્થાનમાં પાયલટની ઉડાન સફળ થશે કે નહીં તેનો નિર્ણય આજે

24 જુલાઇ શુક્રવારનો દિવસ છે. આજે અજીમ પ્રેમજીનો 75મો જન્મદિવસ છે જેઓ ભારતના સૌથી પરોપકારી દાનદાતા પણ છે. પ્રેમજી કહે છે- સફળતા બે વખત પ્રાપ્ત થાય છે. એક વખત મનમાં, અને બીજી વખત વાસ્તવિક દુનિયામાં. સફળતાના આ વિચાર સાથેજ ભાસ્કર મોર્નિંગ બ્રીફમાં સૌથી પહેલા બે એવા સમાચાર જે ભારતીય સેના અને દેશની મહિલાઓને નવી શક્તિ આપશે.

1. આર્મીમાં નારી શક્તિની સેવા
17 વર્ષની કાયદાકીય લડત બાદ ભારતીય સેનામાં મહિલાઓને બરોબરીનો હક મળવાનું નક્કી થઇ ગયું છે. સરકારે તેમને સ્થાયી કમિશન આપવા માટે આદેશ જાહેર કર્યો છે. હવે મહિલાઓને આર્મીની દરેક 10 સ્ટ્રીમ- આર્મી એર ડિફેન્સ, સિગન્લ, એન્જિનિઅર, આર્મી એવિએશન, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મેકેનિકલ એન્જિનિઅર, આર્મી સર્વિસ કોર્પ, ઇન્ટેલિજન્સ , જજ, એડવોકેટ જનરલ અને એજ્યુકેશનલ કોર્પમાં સ્થાયી કમિશન મળી શકશે. વકીલ બબીતા પુનિયા અને અન્ય 9 મહિલાઓ અભિનંદનને પાત્ર છે જેમણે 2003થી 2010 સુધી આ કેસને કોર્ટમાં મજબૂતીથી રજૂ કરીને જીત મેળવી.

2. રાફેલથી ડરશે દુશ્મન
શક્તિ એ જ જે ખરા સમયે કામમાં આવે અને રાફેલ ફાઇટર જેટ અંગે એ જ કહેવાય છે. તેથી આ મહિનાના અંતમાં મળનારા રાફેલને વધુ શક્તિશાળી બનાવવામા આવી રહ્યું છે. એરફોર્સ તેને ખતરનાક હેમર મિસાઇલથી સજ્જ કરશે જે લદ્દાખ જેવા વિસ્તારમાં 70 કિમી રેન્જમાં બંકરોને ધ્વસ્ત કરી શકે છે. ફ્રાન્સને તેના માટે ઇમરજન્સી ઓર્ડર આપવામા આવ્યો છે. ફ્રાન્સ પણ એક મિત્રની જેમ સાથે ઉભું છે. આપણી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ફ્રાન્સે બીજા માટે તૈયાર સ્ટોકમાંથી હેમર આપવાનો નિર્ણય કર્યો છે.

હવે રાજકારણના સમાચાર જેના રંગ અનોખા છે.

3. રાજસ્થાનમાં હવે કોર્ટના હાથમાં નિર્ણય
રાજસ્થાનનું રાજકારણ હવે નેતાઓની જગ્યાએ ન્યાયાધીશોના હાથમાં છે. આજનો દિવસ અગત્યનો છે કારણ કે રાજસ્થાન હાઇકોર્ટ સચિન પાયલટના 19 બળવાખોર ધારાસભ્યોને આપવામા આવેલી નોટિસ અંગે ચૂકાદો સંભળાવશે. પરંતુ એ પહેલા ગુરૂવારે સુપ્રીમ કોર્ટે આ સુનાવણીને રોકવાનો ઇનકાર કર્યો હતો અને સ્પીકર સીપી જોશી તરફથી રજૂ થયેલા વકીલ કપિલ સિબ્બલને પૂછ્યું કે શું લોકો દ્વારા ચૂંટાયેલા નેતાઓને વિરોધ જાહેર કરવાનો હક્ક નથી ? શું લોકતંત્રમાં આ રીતે કોઇને ચૂપ કરાવી શકાય છે ? સુપ્રીમ કોર્ટે સાથે કહ્યું કે હાઇકોર્ટ તેનો નિર્ણય સંભળાવી શકે છે અને હવે આગામી સુનાવણી 27 જુલાઇએ થશે.

રાજકારણ પછી હવે ચોથા સમાચારમાં એ નિર્ણયની વાત જેની ભારતના લોકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે.

4. માલ્યાનું પ્રત્યાર્પણ હજુ દૂર
હવે સમાચાર વિજય માલ્યાના જે 9 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી બાદ 4 વર્ષથી સંતાકૂકડી રમી રહ્યો છે. લંડનમાં રહેતા માલ્યાની તમામ અરજીઓ ફગાવ્યા બાદ હવે બ્રિટન તેને ક્યારે ભારતને સોંપશે તેની કોઇ તારીખ હજુ સુધી નક્કી થઇ નથી. ગુરૂવારે મીડિયા બ્રીફિંગ દરમિયાન બ્રિટિશ હાઇ કમિશ્નર સર ફિલિપ બાર્ટને કહ્યું કે પ્રત્યાર્પણ માટે સમયસીમા નિર્ધારિત ન થઇ શકે. તેમણે ભરોસો આપ્યો કે તે બ્રિટનની સીમા છોડીને ક્યાંય નહીં જઇ શકે.

5. શું રામ મંદિરના ભૂમિ પૂજનનો સમય અશુભ છે?
5 ઓગસ્ટના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાયો નાખવામા આવશે. PM મોદી પાયામાં ઇંટ મૂકીને નિર્માણનો શુભારંભ કરાવશે. પરંતુ ઇંટ રાખવા માટે જે મૂહર્તની પસંદગી થઇ છે તે અંગે ધર્માચાર્યોમાં વિવાદ શરૂ થઇ ગયો છે. જગદગુરૂ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ કહ્યું કે ભૂમિ પૂજનનો સમય અશુભ છે. ભાદ્રપદમાં કરવામાં આવેલું કોઇ પણ શુભ કાર્ય વિનાશકારી હોય છે. જોકે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસના ઉત્તરાધિકારી મહંત કમલનયન દાસે આ આશંકાને ફગાવી દીધી હતી.

6. તમારા નક્ષત્રો અને કાર્ડ શું કહે છે?
એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે આજે પૂર્વાફાલ્ગુની નક્ષત્ર હોવાના લીધે સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ શુભ યોગના પ્રભાવથી જે કામ વિશે વિચારો તે પૂરા થઇ જાય છે. જોબ અને બિઝનેસમાં ફાયદો થાય છે. રોકાયેલા પૈસા મળવાનો પણ યોગ બની રહ્યો છે.
ટેરો કાર્ડ રીડર શીલા. એમ. બજાજના જણાવ્યા પ્રમાણે આજે 12માંથી 8 રાશિઓમાં આર્થિક લાભ આપવાના અને નવા પ્લાન પર કામ કરવાનો સમય છે. અમુક લોકોને મોટો લાભ મળે તેવી તક મળી શકે છે.
શુક્રવાર 24 જુલાઇએ શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી છે. તેને વિનાયકી ચતુર્થી કહેવામા આવે છે. જ્યોતિષાચાર્ય પં. મનીશ શર્માના જણાવ્યા અનુસાર આ વખતે શુક્રવારે ચતુર્થી હોવાથી ગણેશજી સાથે વિષ્ણુ ભગવાન અને દેવી લક્ષ્મીની વિશેષ પૂજા જરૂર કરવી જોઇએ.

7. આજે આ 5 સમાચારો કેન્દ્રમાં રહેશે
1. આજે રાજસ્થાન હાઇકોર્ટ સ્પીકર તરફથી મોકલવામા આવેલી અયોગ્યતા નોટિસ વિરુદ્ધ સચિન પાયલટના 19 બળવાખોર ધારાસભ્યોની અરજી પર ચૂકાદો સંભળાવશે. આજે નિર્ણય આવી જશે તો જયપુરમાં ચાલી રહેલી લડાઇનો મોરચો દિલ્હીમાં ખુલી જશે.

2. એક તરફ રામ મંદિર નિર્માણનો માહોલ છે તો બીજી તરફ બાબરી મસ્જિદ તોડવાના ષડયંત્રમાં સામેલ આરોપી લાલકૃષ્ણ અડવાણીનું નિવેદન નોંધવામા આવશે. 32 આરોપીઓમાંતી એક 92 વર્ષીય અડવાણીનું નિવેદન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નોંધવામા આવશે.

3. આજે 170 મીટર લાંબો એસ્ટેરોઇડ પૃથ્વીની નજીકથી પસાર થશે. નાસાએ તેને Asteroid 2020 ND નામ આપ્યું છે. તે લગભગ 48 હજાર કિમી પ્રતિ કલાકની સ્પીડથી 50 લાખ કિમી દૂરથી પસાર થશે. તેને પોટેન્શીયલી ડેન્જરસ કેટેગરીમાં રાખવામાં આવ્યો છે.

4. આજે કોરોના સામે ફ્રન્ટલાઇનમાં લડી રહેલા ડોક્ટર્સ તેમની વિરુદ્ધ થઇ રહેલી હિંસાના વિરોધમાં કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવશે. આ વિરોધ કર્ણાટક રેસિડન્ટ ડોક્ટર સંઘે શરૂ કર્યો છે. તે સિવાય આજથી મધ્યપ્રદેશના ભોપાલ, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મૂ સહિત અન્ય સ્થળો પર ફરી લોકડાઉન શરૂ થશે.

5. આજે સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’નું ઓનલાઇન પ્રીમિયર થશે અને આજથી લઇને 31 જુલાઇ સુધી કુલ 5 મોટી ફિલ્મો તમે OTT પ્લેટફોર્મ પર જોઇ શકશો. તેમાં 31 તારીખે એક સાથે 4 મોટી ફિલ્મો વચ્ચે ક્લેશ પણ થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Army to get Nari Shakti and Raphael missiles, but whether pilot flight in Rajasthan will be successful today


from Divya Bhaskar https://ift.tt/3fVjAZX
via IFTTT

ટિપ્પણીઓ નથી: