કોરોનાકાળમાં ડિપ્રેશનનો પગપેસારો, ઘેરબેઠાં લોકોમાં એકલતા, ખાલીપણું અને ચેપના ડરને કારણે દેશ-દુનિયામાં ડિપ્રેશનના કેસો વધ્યા

લોકડાઉન જેવા કડક વલણ પછી પણ વિશ્વના મોટાભાગના દેશોમાં કોરોના વાઇરસના દરરોજ મોટી સંખ્યામાં કેસો ઉમેરાતા જઈ રહ્યા છે. ભારતમાં જ દરરોજ નવા કેસોની સંખ્યા સાથે નવા-નવા રેકોર્ડ બની રહ્યા છે. કોરોના વાઇરસના કારણે અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા છે તો કેટલાય લોકોની નોકરી જતી રહી છે. આ પરિસ્થિતિને કારણે ઘેરબેઠાં લોકોમાં એકલતા, ખાલીપણું અને ચેપના ડરને કારણે ડિપ્રેશનની સ્થિતિ ઊભી થઈ છે.

  • વર્ષ 2019ના એક રિપોર્ટ અનુસાર, 7.5% ભારતીયો માનસિક રોગોથી પીડાઈ રહ્યા છે. તેમાંથી માત્ર 70 ટકા લોકોને જ સારવાર મળી શકે છે.
  • 41% ભારતીયોએ કહ્યું કે, જો તેમની ઓળખ અથવા તેમના ગ્રૂપમાં કે તેમની વર્કપ્લેસ પર કોઈ વ્યક્તિ બીમાર પડે તો ગભરાટ અનેકગણોવધી જાય છે.
  • 72% ભારતીયોમાં પરિવારના આરોગ્ય વિશે ચિંતા. લોકો કોરોનાસંકટ દરમિયાન અનિંદ્રા, ઉદાસી અને ડર અનુભવી રહ્યા છે.
  • 19% લોકોનું કહેવું હતું કે, આનાથી તેમના મગજ પર ખૂબ જ ખરાબ અસર થઈ રહી છે. હોમ ક્વોરન્ટિન અથવા ક્વોરન્ટિન સેન્ટર્સમાં રાખવામાં આવેલા લોકોની સ્થિતિ વધુ ખરાબ છે.
  • 45% પુખ્ત વયના લોકોના એક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, વૈશ્વિક રોગચાળાને કારણે તેમના મગજ પર ઘણી નકારાત્મક અસર પડી રહી છે.
  • અમેરિકામાં જ્યાં કોરોનાના રેકોર્ડ કેસ નોંધાયા ત્યાં રહેતા 50% લોકોના મગજ પર ખરાબ અસર પડી છે.
  • કોરોના વાયરસના ભયને કારણે 10% થી વધુ લોકો યોગ્ય રીતે ઊંઘ પૂરી નથી કરી શકતા.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
During the Coronation period, depression, loneliness, emptiness, and fear of infection increased the incidence of depression worldwide.


from Divya Bhaskar https://ift.tt/2WAWUqp
via IFTTT

ટિપ્પણીઓ નથી: