જ્ઞાતિવાદનો છેદ ઉડાડવાના ભાજપના આ પ્રયાસમાં પાટીદારો નારાજ થવાની સંભાવના
ઘણાં વર્ષે રાજકારણમાં હાવિ ન હોય તેવી જ્ઞાતિની વ્યક્તિને પ્રદેશ પ્રમુખ બનાવાઇ છે. સી. આર. પાટીલ મૂળે મહારાષ્ટ્રની મરાઠા જ્ઞાતિના અને સૂરતમાં સ્થાયી થયેલાં નેતા છે. આ નિર્ણય રાજ્યના રાજકારણમાંથી જ્ઞાતિવાદ, પ્રદેશવાદનો અંત આણવાના આશયથી લેવાયો હોય એવી અટકળો વચ્ચે ભાજપમાં જ અંદરખાને એમ પણ કહેવાય છે કે આ પ્રયાસથી પાટીદારો, ખાસ કરીને યુવા પાટીદારો હાર્દિક તરફ વળી શકે છે.
અનામત આંદોલનની જ્વાળાને કારણે ગઇ વિધાનસભા ચૂંટણીમાં પરાણે જીતેલાં ભાજપે જ્ઞાતિવાદ વકર્યો હોવા છતાં ત્રણ વર્ષના ટૂંકાગાળામાં પોતાના પક્ષનું અધ્યક્ષ પદ એવી વ્યક્તિને સોંપ્યું છે જે ગુજરાતની કુલ વસ્તીના માંડ એક ટકા જેટલું પ્રમાણ ધરાવતાં વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે, એટલું જ નહીં, હવે ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્ર તેની પ્રયોગશાળા બન્યું હોઇ બન્ને પક્ષો અહીં વિશેષ ધ્યાન આપે છે, તેવા સમયે ભાજપે દક્ષિણ ગુજરાતના એક પીઢ નેતાને પોતાના પ્રમુખ બનાવી રાજનીતિનું એપિસેન્ટર ખસેડી દીધું છે.
ભાજપના એક સંગઠનના નેતા કહે છે કે ખ્યાલ નથી કે આ કયા પ્રકારનો પ્રયોગ છે, પરંતુ હાઇકમાન્ડ ચોક્કસ રીતે નવો ચીલો ચાતરી રહ્યો છે. આમ પણ ભાજપમાં સંગઠનના હોદ્દા માટે જ્ઞાતિ પહેલેથી જ મહત્ત્વની હતી નહીં, પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમાં થોડો બદલાવ આવ્યો હતો તે ફરી પાછો મૂળભૂત સ્વરૂપમાં આવી રહ્યો છે. આ અખતરો કેટલો સફળ થશે તે કહેવું અઘરું છે, પરંતુ સી આર પાટીલ સંગઠનના જાણકાર છે અને એટલે જ અહીં સફળ થશે તેવું લાગે છે.
વસ્તીવાર ઓછું પ્રભુત્વ ધરાવતી જ્ઞાતિમાંથી આવતાં પ્રદેશ પ્રમુખ તરીકે મકરંદ દેસાઇ, કાશીરામ રાણા કે વજુભાઇ વાળા ઉદાહરણરૂપ છે. પરંતુ હવે ઘણાં સમયથી ગુજરાતનું રાજકારણનું કેન્દ્રબિંદુ સૌરાષ્ટ્રથી ખસીને દક્ષિણ ગુજરાતમાં આવ્યું તે મહત્ત્વનું છે. કાશીરામ રાણા બાદ હવે બીજા નેતા સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ જેવા સંગઠનના મોટા હોદ્દા પર આવ્યા છે, તેમ જણાવી ભાજપના એક નેતાએ કહ્યું કે હવે ભાજપમાં નવી થીયરી અપનાવાતી હોય તેવા યુગની શરુઆત છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2E4qDBF
via IFTTT
ટિપ્પણીઓ નથી: