ચાતુર્માસ આજે દેવશયની એકાદશીથી શરૂ થઇ રહ્યો છે; ભગવાન વિષ્ણુ વિશ્રામ કરશે, આ સમયે શિવ-વિષ્ણુની પૂજા કરો
2020ના સાતમા મહિના જુલાઈની શરૂઆત દેવશયની એકાદશીથી થઇ રહી છે. અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશીને હરિશયની અથવા દેવશયની એકાદશી કહેવામાં આવે છે. આ તિથિથી એટલે 1 જુલાઈથી ચાતુર્માસ પણ શરૂ થઇ જશે. આ વર્ષે ચાતુર્માસ ચાર નહીં પાંચ મહિનાનો રહેશે. કેમ કે, આ વર્ષે આસો મહિનામાં અધિકમાસ રહેશે. 25 નવેમ્બરે દેવઉઠની એકાદશી રહેશે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે ચાતુર્માસમાં પૂજા અને ધ્યાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. દેવશયની એકાદશીથી દેવપ્રબોધની એકાદશી સુધી ભગવાન વિષ્ણુ વિશ્રામ કરશે. આ દરમિયાન શિવજી સૃષ્ટિનું સંચાલન કરશે. આ દિવસોમાં શિવજી અને વિષ્ણુજીની પૂજા કરવી જોઇએ. આ દેવતાઓના મંત્રનો જાપ કરો. વિષ્ણુ મંત્ર ૐ નમો ભગવતે વાસુદેવાય અને શિવ મંત્ર ૐ નમઃ શિવાયનો જાપ કરો.
ચાતુર્માસ 5 મહિના સુધી રહેશેઃ-
આ વર્ષે આસો મહિનામાં અધિકમાસ રહેશે. જેના કારણે ચાતુર્માસ ચાર નહીં પાંચ મહિનાનો રહેશે. અધિકમાસને પુરૂષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ દિવસોમાં ભાગવત કથા સાંભળવી અને ધ્યાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો.
ખાન-પાનનું વિશેષ ધ્યાન રાખોઃ-
આ સમય વર્ષા ઋતુનો રહે છે. જેના કારણે વાદળોના લીધે આપણને સૂર્યનો પ્રકાશ મળી શકતો નથી. સૂર્યના પ્રકાશ વિના આપણી પાચનશક્તિ નબળી પડી જાય છે. આવી સ્થિતિમાં ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. ભોજનમાં એવી વસ્તુઓ સામેલ કરો જે પચી શકે. નહીંતર બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Bq1116
via IFTTT
ટિપ્પણીઓ નથી: