NEET, JEE, UGC NET પરીક્ષાઓના ફોર્મમાં કરેક્શન કરવા તારીખ 20 જુલાઈ સુધી લંબાવાઈ, ઉમેદવારોના પ્રશ્નોનો ઉકેલ લાવવા હેલ્પલાઇન નંબર જાહેર કરાયો
કોરોના વાઇરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને ધીમે-ધીમે બધી પરીક્ષાઓ પોસ્ટપોન કરવામાં આવી રહી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પણ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને NEET, JEE, UGC NET સહિત અન્ય પ્રવેશ પરીક્ષાઓ માટે કરેક્શન વિન્ડો બંધ કરવાની તારીખ વધારી દીધી છે. હવે ઉમેદવારો NEET, JEE, UGC NET, OpenMate, CSIR-UGC NET અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા (JNUEE) સહિતની અન્ય પરીક્ષાઓ માટે 20 જુલાઇ સુધી ફેરફાર કરી શકે છે.
અગાઉ લાસ્ટ ડેટ હતી 15 જુલાઈ
અગાઉ એજન્સીએ કરેક્શનની લાસ્ટ ડેટ 15 જુલાઈ નક્કી કરી હતી. પરંતુ હવે NTAએ કોરોનાને કારણે ઉમેદવારોને પડી રહેલી મુશ્કેલીઓને કારણે એપ્લિકેશનમાં કરેક્શન કરવા માટેની તારીખ લંબાવી છે. તેમજ, ચેપના વધતા જતા કેસોને કારણે JEE MAIN હવે 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર દરમિયાન અને 13 સપ્ટેમ્બરે NEET UG પરીક્ષા યોજાશે.
હેલ્પલાઇન નંબર બહાર પાડ્યો
આ ઉપરાંત, એજન્સીએ પરીક્ષા આપનારા ઉમેદવારો માટે એક હેલ્પલાઇન નંબર પણ બહાર પાડ્યો છે. ઉમેદવારો 8287471852, 8178359845, 9650173668, 9599676953, 8882356803 પર ફોન કરીને પરીક્ષાને લગતી માહિતી મેળવી શકે છે. આ સિવાય nta.ac.in પરથી પણ માહિતી મેળવી શકાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30tO8M9
via IFTTT
ટિપ્પણીઓ નથી: