ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કરી ટ્વિટ, ગાંધીજીની હત્યાના કેસની ફરીથી તપાસ કરાવો


નવી દિલ્હી, તા. 8 ઓક્ટોબર 2020 ગુરૂવાર 

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મૃત્યુને 72 વર્ષ પૂરા થયા છે ત્યારે આ વર્ષે તેમની જન્મ જયંતીએ દેશ વિદેશના નેતાઓએ તેમને યાદ કર્યા. આ સમયે જ રાજ્યસભાના ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીના એક ટ્વિટથી ખળભળાટ મચ્યો છે. તેઓએ કહ્યું છે કે ગાંધીજીની હત્યાના કેસની ફરી તપાસ થવી જોઈએ. 

સ્વામી પહેલાં પણ આ વાત કહી ચૂક્યા છે કે શક્ય છે કે એવું ક્યારેય બન્યું જ ન પણ હોય કે રાષ્ટ્રપિતાને નાથૂરામ ગોડસે એ જ ગોળી મારી હોય.

સુબ્રમણ્યમ સ્વામીએ આ વિશે ટ્વિટર પર એક જૂની ન્યૂઝ લિંક શેર કરી છે અને પૂછ્યું છે કે આખરે શું કારણ હતું કે ગાંધીજીના મૃતદેહની અટોપ્સી કરાઈ નહીં. સ્વામી પહેલાં પણ ગાંધીજીની હત્યા સાથે જોડાયેલા દાવા પર સવાલ કરી ચૂક્યા છે. તેઓએ આ વર્ષે ફેબ્રુઆરીમાં એક ટ્વિટમાં કહ્યું કે ગાંધીજીના પાર્થિવ શરીરનું કોઈ પોસ્ટમોર્ટમ કે એટોપ્સી શા માટે કરાઈ નહીં. શા માટે આભા અને મનુ જે ઘટનાના પ્રત્યક્ષ દર્શી હતા તેમને સવાલ ન કરાયા. 

ગોડસેના રિવોલ્વરમાં કેટલા ચેમ્બર ખાલી મળ્યા હતા.ઈટાલિયન રિવોલ્વર શોધી પણ ન શકાઈ. શા માટે. આ કેસને ફરી ખોલવાની જરૂર છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nuOcpm
via IFTTT

ટિપ્પણીઓ નથી: