આસામ-મિઝોરમ સરહદે હિંસક અથડામણ, કેન્દ્રના ગૃહ સચિવ આજે રૂબરૂ મુલાકાત લેશે

-પરિસ્થિતિ કાબુમાં હોવાનો દાવો
આઇજોલ/સિલ્ચર / ગુવાહાટી તા.19 ઓક્ટોબર 2020 સોમવાર
ઇશાન ભારતમાં આસામ અને મિઝોરમ રાજ્યોના સરહદી વિસ્તારમાં શનિવાર સાંજથી હિંસક અથડામણો થતાં અનેક લોકોને નાની મોટી ઇજા થઇ હતી. જો કે સત્તાવાળાઓએ એવો દાવો કર્યો હતો કે પરિસ્થિતિ કાબુમાં હતી.
મિઝેારમના કોલાસિબ અને આસામના કછાર જિલ્લામાં આ અથડામણ થઇ હતી. મિઝોરમના ગૃહ પ્રધાન લલચામલિયાનાએ કહ્યું હતું કેન્દ્રના ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા આજે બંને રાજ્યોના મુખ્ય સચિવ સાથે બેઠક યોજશે.
કોલાસિબ જિલ્લાના પોલીસ વડાએ કહ્યું કે શનિવારે સાંજે આસામના કેટલાક લોકોએ સરહદ વિસ્તારના ગામની બહાર આવેલા રિક્શા સ્ટેન્ડ પર પથ્થરમારો કર્યો હતો. એના પરિણામે સામા પક્ષે પણ હિંસા આચરી હતી. સારી એવી ભીડ જમા થઇ ગઇ હતી. હિંસા કયા કારણોથી ફેલાઇ એની તપાસ પોલીસ કરી રહી હતી. મળતી માહિતી મુજબ કલાકો સુધી આ અથડામણ ચાલી હતી.
આસામના જંગલ ખાતાના પ્રધાન પરિમલ શુક્લા વૈદ્યે કહ્યું કે દર વરસે આ સીઝનમાં અહીં નિયમિત અથડામણ થાય છે કારણ કે બંને પક્ષો ગેરકાયદે એકબીજાના વિસ્તારનાં વૃક્ષો કાપી નાખે છે એટલે ઉશ્કેરાટ છવાઇ જાય છે. હાલ પરિસ્થિતિ કાબુ હેઠળ છે અને ચિંતાનું કોઇ કારણ નથી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3o2vndB
via IFTTT
ટિપ્પણીઓ નથી: