નેપાળના PM કે પી ઓલી કોરોના પોઝિટીવ, વડાપ્રધાન આવાસને કરવામાં આવ્યુ સેનેટાઈઝ

કાઠમંડુ, તા. 4 ઓક્ટોબર 2020 રવિવાર
કોરોના સંક્રમણનો પ્રકોપ નેપાળના વડાપ્રધાન આવાસમાં જોવા મળ્યો છે. અહીં વડાપ્રધાન કે પી ઓલીની સાથે જ તેમના અંગત સલાહકાર અને ડૉક્ટર પણ કોરોના સંક્રમણનો શિકાર થયા છે. એટલુ જ નહીં નેપાળી વડાપ્રધાનની સુરક્ષામાં તૈનાત 76 જવાન પણ કોરોના સંક્રમણની ચપેટમાં આવી ગયા છે.
નેપાળ સરકારની સમાચાર એજન્સીએ જાણકારી આપી છે કે દેશનું વડાપ્રધાન આવાસ ખરાબ રીતે કોરોના સંક્રમણની ચપેટમાં આવી ગયુ છે. આની સાથે જ વડાપ્રધાન આવાસને સમગ્ર રીતે ખાલી કરાવ્યા બાદ સેનેટાઈઝ કરવામાં આવી રહ્યુ છે.
એજન્સીએ જણાવ્યુ કે તાજેતરમાં જ પીએમ ઓલીના અંગત ચિકિત્સક ડૉ. દિવ્યા શાહને કોરોના પોઝીટીવ આવ્યો હતો. જે બાદ કૉટેક્ટ ટ્રેસિંગની જાણ થવા પર તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે.
પીએમ ઓલીની સુરક્ષામાં લાગેલા નેપાળી સેનાના 28 કમાન્ડો, નેપાળ પોલીસના 19 અધિકારી, સશસ્ત્ર પ્રહરી બળના 27 અને ખાનગી વિભાગના 2 અધિકારી પણ કોરોના સંક્રમણની ચપેટમાં આવ્યા છે. જે બાદ જ પીએમની સુરક્ષામાં તૈનાત તમામ સુરક્ષાકર્મીઓની પૂરી ટીમને બદલી દેવાયા છે.
તાજેતરમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના સંક્રમિત થયા છે. તેમની સાથે જ તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પને પણ કોરોના પોઝિટીવ આવ્યો છે. ત્યાં દુનિયાભરમાં કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 3 કરોડ 51 લાખને પાર પહોંચી ગયો છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36w6K2o
via IFTTT
ટિપ્પણીઓ નથી: