મુંબઇના મોલમાં લાગી ભીષણ આગ, નાગપાડા જેવા મુસ્લિમ બહુમતી વિસ્તારમાં ભયનું સામ્રાજ્ય

- બાજુના 55 માળના ટાવરમાં રહેતા લોકો સડક પર ઊતરી આવ્યા
મુંબઇ તા.23 ઓક્ટોબર 2020 શુક્રવાર
મુંબઇના મુસ્લિમ બહુમતી વિસ્તાર નાગપાડાના ઇન્ફિનિટી મોલમાં ગુરૂવારે રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. આ મોલની બાજુના મકાનમાં રહેતા લોકોના જીવ અદ્ધર થઇ ગયા હતા.
જો કે ફાયર બ્રિગેડ અને આ વિસ્તારના અન્ય લોકોએ તરત રાહત કાર્ય શરૂ કર્યું હતું અને 3500 જણને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. આગ બુઝાવવા ડઝનબંધ લાયબંબા ત્યાં પહોંચી ગયા હતા પરંતુ શુક્રવારની સવાર સુધી આગ પૂરેપૂરી બુઝાવી શકાઇ નહોતી. આગ બુઝાવવાના કાર્યમાં ફાયર બ્રિગેડના બે જવાનોને ઇજા થઇ હતી.
ફાયર બ્રિગેડના પ્રવક્તાએ કહ્યું કે આગ લાગી કેવી રીતે એની તપાસ ચાલી રહી હતી. મોલની બરાબર બાજુમાં પંચાવન માળનું એક રહેવાસી ટાવર હતું જેમાં રહેતા લોકો સ્વાબાવિક રીતે ગભરાઇ ગયા હતા. આ ટાવરમાં રહેતા 3500 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
મુંબઇ ફાયર બ્રિગેડના વડા શશીકાંત કાળેએ કહ્યું કે આ આગને કાબુમાં લેવા ચોવીસ લાયબંબા અને અઢીસોથી વધુ જવાનો કામે લાગ્યા હતા. સદ્ભાગ્યે મોડી રાત્રે આગ લાગી ત્યારે મોલમાં કોઇ નહોતું એટલે જાનહાનિ કે ઇજાના કેસ નોંધાયા નહોતા. મુંબઇના મેયર કિશોરી પેડણેકર અને બીએમસીના અન્ય અધિકારીઓ તરત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય પર નજર રાખી હતી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35pDVm7
via IFTTT
ટિપ્પણીઓ નથી: