CM જગનમોહન રેડ્ડીનો દાવો: પ્રદેશ સરકાર પાડવાનુ કાવતરૂ ઘડી રહ્યા છે ચંદ્રબાબુ નાયડુ અને સુપ્રીમ કોર્ટના જજ

આંધ્ર પ્રદેશ, તા. 11 ઓક્ટોબર 2020 રવિવાર
આંધ્ર પ્રદેશમાં એક કાવતરા હેઠળ પ્રદેશ સરકારને પાડવાનો મોટો કેસ સામે આવ્યો છે. ખુદ સીએમ જગનમોહન રેડ્ડીએ પ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ નંબર-2 એનવી રમન્ના પર આ ષડયંત્રમાં સામેલ થવા જેવો ગંભીર આરોપ લગાવ્યો છે. આંધ્રના સીએમે આ વિશે CJI જસ્ટિસ બોબડેને એક પત્ર પણ લખ્યો છે.
સીએમ જગનમોહન રેડ્ડીએ સીજેઆઈએ લખેલા પત્રમાં કહ્યુ કે જસ્ટિસ રમન્ના સરકારને અસ્થિર કરવામાં પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુનો સાથ આપી રહ્યા છે. તેઓ હાઈકોર્ટના કામમાં દખલગીરી કરી રહ્યા છે. એટલુ જ નહીં રમન્ના હાઈકોર્ટના જજને પણ પ્રભાવિત કરી રહ્યા છે.
રમન્નાની દિકરીઓ જમીન ખરીદ-વેચાણમાં સામેલ
આંધ્રના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એનવી રમન્ના પર ગંભીર આરોપ લગાવતા કહ્યુ છે કે તેમની દિકરીઓ જમીનના ખરીદ-વેચાણમા સામેલ રહી છે અને તેમણે પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુ સાથે જોડાયેલા કેસમાં સુનાવણી પ્રભાવિત કરી છે. એવુ જસ્ટિસ રમન્ના ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુના હિતના સંરક્ષણ માટે કરી રહ્યા છે.
સીજેઆઈ બોબડેને કરી આ વાતની ભલામણ
કોઈ મુખ્યમંત્રી દ્વારા સુપ્રીમ કોર્ટના જજ વિરૂદ્ધ ચીફ જસ્ટિસને ફરીયાદનો આ પહેલો કેસ છે. પોતાના આરોપમાં સીએમે પૂર્વ સીએમ અને રમન્ના પર ન્યાયિક વ્યવસ્થાને પ્રભાવિત કરવાનો આરોપ લગાવ્યો છે. જગનમોહને CJI સાથે આંધ્રપ્રદેશમાં ન્યાયિક નિષ્પક્ષતાને જાળવી રાખવાની ભલામણ કરી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jTDS8g
via IFTTT
ટિપ્પણીઓ નથી: