શોપિયામાં મિની સચિવાલયમાં તૈનાત CRPF પર આતંકી હુમલો
શ્રીનગર, તા.25 સપ્ટેમ્બર 2020, શુક્રવાર
જમ્મૂ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી નાપાક હરકત કરી છે. શોપિયામાં CRPFના જવાનો પર આતંકીઓ હુમલો કરી ભાગી ગયા છે.
શોપિયાના મિની સચિવાલમાં તૈનાત જવાનો પર ફાયરિંગ કરી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જો કે હજુ સુધી આ હુમલામા કોઇપણ પ્રકારની જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં મીની સચિવાલય ખાતે તૈનાત CRPFના જવાનો પર આતંકીઓએ હુમલો કર્યો છે. હુમલો કરી આતંકીઓ ફરાર થઇ ગયા હતા. જો કે હાલમાં સેના દ્વારા આ વિસ્તારને ઘેરી લઇ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જો કે આ હુમલામાં કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3i32wBu
via IFTTT
ટિપ્પણીઓ નથી: