મુંબઈ: ભીવંડીમાં 3 માળની ઈમારત ધરાશાયી, 8ના મોત, કાટમાળ નીચે અનેક લોકો દટાયા


મુંબઈ, તા. 21 સપ્ટેમ્બર 2020 સોમવાર

મહારાષ્ટ્રના ભીવંડીમાં એક ત્રણ માળની ઈમારત મધરાતે ધરાશાયી થઈ ગઈ. આ બિલ્ડિંગના કાટમાળ નીચે 24થી વધુ લોકો દટાયેલા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં 8 લોકોના મૃત્યુ થયા હોવાની જાણકારી મળી છે. એનડીઆરએફની બે ટીમો રેસ્ક્યૂ ઓપરેશન માટે રવાના થઈ ગઈ છે. 

મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભીવંડીના પટેલ કમ્પાઉન્ડ વિસ્તારમાં આ દુર્ઘટના ઘટી. લગભગ 20 લોકોને સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યૂ કરાયા છે. 

આમ છતાં હજુ પણ 20થી 25 લોકો કાટમાળ નીચે ફરાયેલા હોવાની આશંકા છે. એનડીઆરએફ દ્વારા જણાવામાં આવ્યું કે ઠાણે મહાનગર પાલિકાથી પ્રાપ્ત મળતી જાણકારી મુજબ આજે સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ ભિવંડીમાં એક ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થઇ હતી.

સ્થાનિક લોકો દ્વારા 20 લોકોને કાટમાળથી બચાવામાં આવ્યાં છે. પ્રાપ્ત મળતી પ્રાથમિક જાણકારી મુજબ 20-25 લોકોના ફસાયા હોવાની આશંકા છે. આરઆરસી મુંબઈ થી NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને રાહત કાર્ય ઝડપથી કરવામાં આવી રહ્યું છે. 

પ્રાપ્ત મળતી વિગત અનુસાર આ ત્રણ માળની બિલ્ડિંગ મકાનમાં 21 ફલેટમાં ઘણા લોકો શાંતિથી ઉંઘી રહ્યા હતા ત્યારે અચાનક 3 વાગ્યાના 20 મિનિટ પર ભિવંડીના પટેલ કમ્પાઉન્ડમાં કોલાહાલ મચી ગયો. હાલમાં ઘટનાસ્થળે કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33Omlr4
via IFTTT

ટિપ્પણીઓ નથી: