મુંબઇ અને આસપાસના વિસ્તારમાં 3.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

- આજે સવારે આઠ વાગ્યે અનુભવાયા
- સમગ્ર પશ્ચિમ કાંઠે આંચકા આવ્યા
મુંબઇ તા.7 સપ્ટેંબર 2020 સોમવાર
મુંબઇ સહિત દેશના પશ્ચિમ કાંઠે આજે સોમવારે સવારે ધરતીકંપના આંચકા આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર મુંબઇથી 102 કિલોમીટર દૂર હતું. રિક્ટર સ્કેલ પર આ આંચકા 3.5 તીવ્રતાના હતા. આજે સવારે આઠ વાગ્યે ભૂકંપન આંચકા અનુભવાયા હતા. જો કે કો ઇ જાનહાનિ કે માલ મિલકતના નુકસાનના સમાચાર નહોતા.
આ જાણકારી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજિ દ્વારા અપાઈ છે.આ અગાઉ મહારાષ્ટ્રના મુંબઇમાં ગત શનિવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવામાં આવ્યાં છે. જેની તીવ્રતા 2.7 માપવામાં આવી છે. જ્યારે મોડી રાત્રે નાસિકમાં મોડી રાત્રે 11 વાગહ્યાની 41 મિનિટ પર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા 4 માપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી ગુજરાત તથા મંબઈ નાસિકમાં વારંવાર ધરતીકંપ આવી રહ્યાં છે. આ અગાઉ જામનગર, કચ્છમાં પણ ભુકંપના આંચકા અનુભવાયાં હતા. ત્યારે શુક્રવારે મોડી રાત્રે વલસાડમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
વલસાડમાં મોડી રાત્રે 11.41 કલાકે 4.1 અને બીજો 12.05 કલાકે 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બંનેનું ભૂકંપનું કેન્દ્ર બિંદુ વલસાડથી 65 થી 80 કિમી દૂર નોંધાયું હતુ.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યા મુજબ છેલ્લા ચાર દિવસમાં આજે સવારે ત્રીજી વાર મુંબઇમાં ધરતીકંપના આંચકા આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર મુંબઇની ઉત્તરે 102 કિલોમીટર દૂર હતું.
અત્યાર અગાઉ શુક્રવારે સવારે અને શનિવારે સવારે પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. આમ ચાર દિવસમાં ત્રીજીવાર મુંબઇ ધ્રૂજ્યું હતું. શુક્રવારે અને શનિવારે ભૂકંપની તીવ્રતા 2,7 અને 2.8ની હતી.
આજે સવારે 3.5ની તીવ્રતા હતી. જિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ જણાવ્યા મુજબ મુંબઇ ઝોન થ્રીમાં આવે છે એટલે કે સામાન્ય રીતે ભૂકંપના બહુ મોટા આંચકા મુંબઇમાં ઓછા આવે. એ દ્રષ્ટિએ મુંબઇ સુરક્ષિત હતું.
(સંદેશો અધૂરો હતો.)
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2DG6odO
via IFTTT
ટિપ્પણીઓ નથી: