એક બાજુ કોરોના છે અને બીજી બાજુ કર્તવ્ય: વડાપ્રધાન મોદી


નવી દિલ્હી, તા. 14 સપ્ટેમ્બર 2020 સોમવાર 

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં હિન્દી દિવસની શુભકામનાઓ પાઠવી. તેમણે કહ્યું કે હિન્દી દિવસ પર તમને બધાને ખુબ ખુબ શુભકામનાઓ. 

આ અવસરે હિન્દીના વિકાસમાં યોગદાન આપી રહેલા તમામ ભાષાવિદોને મારા હાર્દિક અભિનંદન. તેમણે કહ્યું કે આજે આપણી સેનાના વીર જવાનો સરહદ પર ખડેપગે છે. હિંમત સાથે, જુસ્સા સાથે, દુર્ગમ પહાડીઓ પર અડીખમ છે. 

થોડા સમય બાદ બરફવર્ષા પણ શરૂ થશે. કપરા સમયમાં સંસદનું સત્ર શરૂ થઈ રહ્યું છે. એક બાજુ કોરોના છે અને બીજી બાજુ કર્તવ્ય. સાંસદોએ કર્તવ્ય પથ પસંદ કર્યો છે. 

હું તેમનો આભાર વ્યક્ત કરું છું. પીએમ મોદીએ કહ્યું કે આ વખતે લોકસભા અને રાજ્યસભા અલગ અલગ સમય પર ચાલશે. આ વખતે શનિવાર અને રવિવારે પણ સંસદ ચાલશે. તમામ સાંસદો તેની સાથે સહમત છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FqNGrn
via IFTTT

ટિપ્પણીઓ નથી: