પુલવામાના મારવાલ વિસ્તારમાં અથડામણ શરૂ થઇ, સિક્યોરિટીએ આતંકવાદીઓને ઘેરી લીધા

શ્રીનગર તા. 15 સપ્ટેંબર 2020 મંગળવાર

જમ્મુ કશ્મીરના પુલવામા વિસ્તારમાં ફરી એકવાર એન્કાઉન્ટર શરૂ થઇ ગયું હોવાની જાણકારી મળી હતી. ખાસ કરીને પુલવામાના મારવાલ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની બાતમી પરથી સિક્યોરિટીએ એ આખા વિસ્તારને ઘેરી લીધો હતો.

એક પોલીસ અધિકારીએ ફક્ત એટલી માહિતી આપી હતી કે મારવાલમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની બાતમી મળતાં સિક્યોરિટીએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો અને સામસામા ગોળીબાર શરૂ થયા હતા. આ સમાચાર લખાઇ રહ્યા હતા ત્યારે અથડામણ ચાલુ હતી.

(સંદેશો અધૂરો હતો.)



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bZUWWZ
via IFTTT

ટિપ્પણીઓ નથી: