સુરતના હજીરામાં ONGC ટર્મિનલ પ્લાન્ટમાં પ્રચંડ ધડાકા સાથે વિકરાળ આગ ફાટી નીકળી

સુરત, તા. 24 સપ્ટેમ્બર 2020 ગુરૂવાર
સુરતની હજીરા સ્થિત ONGC કંપનીમાં વહેલી સવારે એક પછી એક 3 બ્લાસ્ટ થયા હતા. બોઈલરમાં લીકેજ બાદ પ્રચંડ બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. સુરત ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો. અડાજણ, પાલ અને વેસુ વિસ્તાર સુધી બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. ONGC નજીકની ઈમારતો ધ્રૂજી ઉઠી અને સાથે જ સુરત, હજીરા, રિલાયન્સની ફાયરબ્રિગેડ, ક્રિભકો અને NTPCની ટીમ પણ પહોંચી ગઈ હતી. હાલમાં બ્લાસ્ટ બાદ 4 વ્યકિત ગૂમ થયાના સમાચાર મળી રહ્યા છે.
કોરોનાની મહામારીથી ફફડી રહેલા લોકોની હજુ તો કળ વળી નથી ત્યાં તો આજે મધરાતે ત્રણ વાગ્યાના અરસામાં હજીરા વિસ્તારમાં આવેલી ઓએનજીસીના ટર્મિનલ પ્લાન્ટમાં વારાફરતી ત્રણ પ્રચંડ ધડાકા સાથે વિકરાળ આગ ફાટી નીકળી હતી.
આગ પર કાબૂ લેવા માટે 300 મીટર દૂરથી પાણી-કેમિકલ ફોમનો મારો ચલાવાઈ રહ્યો છે. સુરત આવતી બોમ્બે હાઈ ગેસની પાઈપલાઈનના ટર્મિનલમાં બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર પાઇપ લાઈન પેટ્રોલિયમ લીક્વિડથી ભરાયેલી હતી ત્યારે ઘટના બની હતી. આગ બાદ ચીમનીમાંથી વધુ ગેસ છોડવાનો શરૂ કરાયો હતો. અત્યારે 3 કર્મચારી અને 1 સુરક્ષાકર્મી લાપતા હોવાના સમાચાર મળ્યા છે.

આ આગ એવી તો ભયાનક હતી કે આજુબાજુના ગ્રામજનો ડરી ગયા હતા. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી અને કંપનીમાં હાજર કેટલા લોકોને અસર થઇ, કેટલી જાનહાનિ થઇ તે વિશે કોઈ માહિતી મળી નથી પરંતુ આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ અને કંપનીની ફાયર ફાઈટરો કામ લાગી ગયા છે.

બ્લાસ્ટના કારણે ચેક 15 કિલોમીટર દૂર શહેરમાં બારીઓ ધ્રુજી ઉઠી
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા જતીન ભાઈ દેસાઈ જણાવે છે કે અમો સપરિવાર ભર ઊંઘમાં હતા ત્યારે સાડા ત્રણ વાગ્યે અચાનક અમારી બારીઓ ધ્રુજવા લાગતા અમો ડરી ગયા હતા કે શું ભૂકંપ આવ્યો છે ?
બહાર નીકળીને જોયું તો હજીરામાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. આમ આ બ્લાસ્ટ કેવો થયો હશે અને સ્થાનિકોની હાલત કેવી થાય હશે તે સમજી શકાય છે. આ બ્લાસ્ટની અસર છેક ડુમસ સુધી જોવા મળી હતું.
ONGC નજીકના ગામોમાં ભારે ફફડાટ
Ongc નજીકમાં કવાસ ઇચ્છાપોર, ભાતપોર મોરા દામકા ભટલાઈ સહિતના દસ ગામોના લોકોએ ત્રણ બ્લાસ્ટના જોરશોરથી અવાજ સંભળાવતાં દહેશતનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. કવાસ ગામના કરશનભાઈના જણાવ્યા મુજબ આ બ્લાસ્ટ અને ભયાનક આગને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને એવા તો ફફડી ઉઠ્યા છે કે ઘરોમાં જતાં પણ ગભરાઈ રહ્યા છે. એટલું બધું દહેશતનું વાતાવરણ છે.

શું કહે છે જિલ્લા કલેકટર
હજીરાની Ongc કંપનીમાં બ્લાસ્ટ અંગે જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલના જણાવ્યા મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આ અંગે બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ છે. હજીરામાં લાગેલી આગની ઘટના અંગે સુરત જિલ્લા કલેક્ટર ધવન પટેલે નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, ગેસ લિકેજ બાદ આગ લાગી છે. હજુ સુધી કોઈને ઈજા કે જાનહાનિ થઇ હોય એવું સામે આવ્યું નથી. આગની ઘટના બાદ સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ અને મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે છે.
પ્લાન્ટમાં ત્રણ ઘડાકા થયા હતા. જે બાદ આગની ઘટના બની. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, પ્રેસરાઈઝ ગેસને ડી- પ્રેસરાઈઝની કામગીરી કરવામાં આવી છે. ધમાકાના કારણે દૂર સુધી કંપન થયું છે. ઘટના પર સંપૂર્ણ કાબુ મેળવ્યા બાદ ઘટના સ્થળ ઇન્સ્પેકશન કરવામાં આવશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33P2Izm
via IFTTT
ટિપ્પણીઓ નથી: