કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીથી AIIMSમાં દાખલ, 12 દિવસ પહેલા જ થયા હતા ડિસ્ચાર્જ


નવી દિલ્હી, તા. 13 સપ્ટેમ્બર 2020 રવિવાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. શનિવારે મોડી રાતે 11 વાગે અમિત શાહને ફરીથી દિલ્હીની AIIMS માં દાખલ કરાયા છે. 

અમિત શાહે તાજેતરમાં જ કોરોના વાયરસને માત આપી હતી. હાલ તેઓ એમ્સ (AIIMS) ના કાર્ડિયો ન્યૂરો ટાવરમાં દાખલ છે. 

રિપોર્ટ્સમાં થઈ રહેલા દાવા મુજબ કોરોના વાયરસને હરાવીને સાજા થયા બાદ તેઓ શ્વાસ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ અગાઉ પણ તેઓને કોરોના વાયરસથી સાજા થયા બાદની સારસંભાળ માટે એમ્સમાં દાખલ થયા હતાં અને 31મી ઓગસ્ટે તેમને રજા આપવામાં આવી હતી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZOG74X
via IFTTT

ટિપ્પણીઓ નથી: