શ્રીકૃષ્ણની સૌથી કિંમતી મૂર્તિના દર્શન કરો, ઝારખંડમાં બંસીધરની 1280 કિલો સોનાની પ્રતિમા છે, આટલાં સોનાની કિંમત 716 કરોડ રૂપિયાથી વધારે
આજે જન્માષ્ટમી છે. ઝારખંડના પશ્ચિમમાં યૂપીની સીમા પાસે ગઢવા જિલ્લાના નગર ઊંટારીમાં બંસીધર મંદિર છે. આ મંદિરમાં વિરાજિત ભગવાન કૃષ્ણની પ્રતિમા દુનિયામાં સૌથી વધારે કિંમતી કૃષ્ણ પ્રતિમા માનવામાં આવે છે. આ મૂર્તિ 1280 કિલો સોનાથી બનેલી છે. આજના સમયમાં 1280 કિલો સોનાની કિંમત 716 કરોડ રૂપિયાથી પણ વધારે આંકવામાં આવે છે. જોકે, આ પ્રતિમાની એન્ટિક વેલ્યૂ 2000 કરોડથી પણ વધારે છે, જે 2014માં આંકવામાં આવી હતી.
સામાન્ય રીતે આ મૂર્તિ 4-5 ફૂટની જોવા મળે છે. પરંતુ મૂર્તિનો એક મોટો ભાગ ધરતીની અંદર છે. પ્રતિમા શેષનાગ ઉપર વિરાજિત કૃષ્ણની છે, શેષનાગવાળો ભાગ જમાનની અંદર છે. મંદિર ટ્રસ્ટના જણાવ્યાં પ્રમાણે, અત્યાર સુધી આ મૂર્તિને લઇને યોગ્ય સમયની ગણતરી થઇ શકી નથી.
તેની કિંમતને લઇને પણ મંદિર ટ્રસ્ટ જણાવે છે કે ભગવાનની કિંમત લગાવી શકાય નહીં. વર્ષ 2018માં સરકારે શ્રી બંસીધરજીની મંદિરની લોકપ્રિયતાને જોઇને શહેરનું નામ નગર ઊંટારીથી બદલીને શ્રી બંસીધર નગર કરી દીધું છે.
કૃષ્ણ સાથે રાધાની 120 કિલો અષ્ટધાતુની મૂર્તિઃ-
1280 કિલો સોનાની કૃષ્ણ પ્રતિમા સાથે રાધાની પણ એક મૂર્તિ છે. આ મૂર્તિ અષ્ટધાતુની છે અને તેનું વજન લગભગ 120 કિલો છે. આ મૂર્તિની પણ આજના સમયમાં એન્ટિક વેલ્યૂ કરોડોમાં આંકવામં આવે છે.
કોરોનાના કારણે માર્ચથી મંદિર બંધ છેઃ-
ઝારખંડમાં કોરોનાના કહરને જોતાં બધા જ મંદિર 15 માર્ચથી બંધ છે. બંસીધર મંદિર પણ ત્યારથી જ બંધ છે. જોકે, તેમાં પૂજા-પાઠ નિયમિત થાય છે. દર વર્ષે જન્માષ્ટમીએ આ ઉત્સવ ખૂબ જ વિશાળ પાયે ઉજવવામાં આવે છે અને હજારો શ્રીકૃષ્ણ ભક્ત અહીં પહોંચે છે, પરંતુ આ વર્ષે કોરોનાવાઇરસના કારણે ઘણાં ઓછાં ભક્ત અહીં પહોંચ્યાં છે. એક અનુમાન પ્રમાણે એક વર્ષમાં અહીં લગભગ 10 લાખ લોકો દર્શન કરવા પહોંચે છે.

ઔરંગઝેબની દીકરીએ મુઘલોના ખજાનાથી આ મૂર્તિને બચાવી હતીઃ-
શ્રી બંસીધર મંદિર ટ્રસ્ટના સલાહકાર ધીરેન્દ્ર કુમાર ચૌબેના જણાવ્યાં પ્રમાણે મુઘલ સમ્રાટ ઔરંગઝેબની દીકરી જૈબુન્નિસા શ્રીકૃષ્ણની ભક્ત હતી. તે સમયે મુઘલોનો અજાનો કલકત્તાથી દિલ્હી લઇ જવામાં આવતો હતો. નગર ઊંટારી ક્ષેત્રમાં શિવાજીના સરદાર રૂદ્ર શાહ અને બહિયાર શાહ હતાં.
અહીંથી મુઘલોનો જે ખજાનો જતો હતો, તે શિવાજીના સરદાર લૂટી લેતાં હતાં. મુઘલોએ બંસીધર ભગવાનની મૂર્તિ કોઇ મંદિરમાંથી લૂટી હતી. માન્યતા પ્રમાણે જૈબુન્નિસાએ આ મૂર્તિ નગર ઊંટારીમાં રહેતાં શિવજીના સરદારો સુધી પહોંચાડી હતી.
શિવાજીના સરદારો મુઘલોથી બચાવવા માટે મૂર્તિ નગર ઊંટારીથી 22 કિમી દૂર પશ્ચિમમાં એક પહાડીમાં છુપાવી દીધી હતી. આ મૂર્તિ હજારો વર્ષ જૂની છે, કેમ કે, મૂર્તિના શેષનાગ ઉપર કઇંક લખાયેલું છે, તે શું લખ્યું છે અને કઇ ભાષામાં લખાયેલું છે તે આજ સુધી કોઇ સમજી શક્યું નથી. મૂર્તિ દક્ષિણ સ્થાપત્ય શૈલીની છે.

રાજમાતાને સપનામાં દર્શન આપ્યાં હતાં-
અહીંના રાજઘરાનાના યુવરાજ અને મંદિર સમિતિના પ્રધાન ટ્રસ્ટી રાજેશ પ્રતાપ દેવના જણાવ્યાં પ્રમાણે રાજા ભવામની સિંહ દેવનું મૃત્યુ થયા પછી તેમની રાણી શિવમાની કુંવર રાજ્યનું સંચાલન કરી રહી હતી. તેમણે 14 ઓગસ્ટ 1827ની જન્માષ્ટમીએ વ્રત કર્યું હતું. તે સમયે રાજમાતાને સપનામાં ભગવાન કૃષ્ણના દર્શન થયાં હતાં.
શ્રીકૃષ્ણએ રાણી પાસે વરદાન માંગવાનું કહ્યું ત્યારે રાણીએ ભગવાન પાસે હંમેશાં કૃપા બનાવી રાખવાનું વરદાન માંગ્યું. ત્યારે ભગવાને રાણીને કનહર નદીના કિનારે યૂપીના મહુરિયા નજીક શિવ પહાડી ઉપર તેમની મૂર્તિ દટાયેલી હોવાની જાણકારી આપી. ત્યાર બાદ ત્યાં ખોદકામ કર્યું તો અહીં 10 ફૂટની સોનાની શ્રીકૃષ્ણની મૂર્તિ પ્રાપ્ત થઇ.
ત્યાર પછી વારણસીથી રાધા રાણીની અષ્ટધાતુની પ્રતિમા મંગાવીને શ્રીકૃષ્ણ સાથે 21 જાન્યુઆરી 1828ના રોજ સ્થાપિત કરવામાં આવી. ખોદકામમાં મળેલી વંશી-વાદન કરતી પ્રતિમાનું વજન 32 મણ એટલે 1280 કિલોનું છે.
સાડા ત્રણ એકરમાં મંદિર બનેલું છેઃ-
ધીરેન્દ્ર કુમાર ચૌબેના જણાવ્યાં પ્રમાણે મંદિરમાં સ્થાપિત પ્રતિમા સ્વયંભૂ છે. આ તીર્થને મથુરા અને વૃંદાવન સમાન જ માનવામાં આવે છે. આ મૂર્તિમાં શ્રીકૃષ્ણ શેષનાગ ઉપર કમળના ફૂલ ઉપર બંસી-વાદન નૃત્ય કરતાં વિરાજિત છે. શેષનાગવાળો ભાગ જમીનની અંદર દટાયેલો છે. મંદિર લગભગ સાડા ત્રણ એકરમાં બનેલું છે. મંદિરની ઊંચાઈ લગભગ 50 ફૂટ છે.
સુરક્ષા માટે સરકારી ગાર્ડ્સઃ-
ઝારખંડ સરકાર તરફથી મંદિરમાં સુરક્ષા માટે ગાર્ડ્સ રાખવામાં આવ્યાં છે. યૂપી એટીએસને એવી સૂચના મળી હતી કે બંસીધર મંદિર ઉપર હુમલો થઇ શકે છે. આતંકી મંદિરને નુકસાન પહોંચાડી શકે છે. ત્યાર બાદ સરકારે અહીં સુરક્ષાની વ્યવસ્થા કરી છે. મંદિરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. 24 કલાક અહીં ગાર્ડ્સની ડ્યૂટી રહે છે. શ્રીકૃષ્ણ જન્મોત્સવ માટે અહીં એડિશનલ મેજિસ્ટ્રેટ અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ત્રિદેવ સ્વરૂપની મૂર્તિઃ-
ભગવાન શ્રીકૃષ્ણની આ મૂર્તિમાં ત્રિદેવ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનું સ્વરૂપ છે. શ્રી બંસીધરજી, શિવજી જેમ જટાધારી છે. વિષ્ણુની જેમ શેષનાગની શૈય્યા ઉપર વિરાજિત છે. કમળના ફૂલ ઉપર બ્રહ્માજી વિરાજે છે. આ પ્રકારે આ મૂર્તિમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયના દર્શન કરી શકાય છે.
વંશ પરંપરા પ્રમાણે પૂજારી નક્કી કરવામાં આવે છેઃ-
આ મંદિરના પ્રધાન પૂજારી પં. વ્રજ કિશોર તિવારી છે. મંદિરમાં પૂજારી વંશ પરંપરા દ્વારા જ નક્કી થાય છે. તેમના જ પૂર્વજ અહીં પૂજા કરતાં હતાં. આ તેમની છઠ્ઠી-સાતમી પેઢી છે. મંદિરમાં મંત્રોચ્ચાર કરનાર પ્રધાન આચાર્ય પં. સત્યનારાયણ મિશ્રા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2FgSZJy
via IFTTT
ટિપ્પણીઓ નથી: