558 વર્ષ પછી રક્ષાબંધનના દિવસે ગુરુ-શનિ પોત-પોતાની રાશિમાં વક્રી, રાખડી બાંધ્યા પછી ઘરમાં સત્યનારાયણની કથા કરો, પૂજા પછી દાન પણ કરવું
આજે શ્રાવણ મહિનાની પૂનમ અને રક્ષાબંધન છે. સવારે 9.29 વાગ્યા સુધી ભદ્રા રહેશે. ભદ્રા પછી આખો દિવસ બહેન પોતાના ભાઇને રાખડી બાંધી શકે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માએ જણાવ્યું કે, રક્ષાબંધનના દિવસે ગુરુ પોતાની રાશિ ધનમાં અને શનિ મકરમાં વક્રી છે. ચંદ્ર-શનિ એક સાથે મકરમાં છે. આવો યોગ 558 વર્ષ પછી બન્યો છે.
2020 પહેલાં 1462માં આવા યોગમાં રક્ષાબંધન ઉજવવામાં આવી હતી. 1462માં 22 જુલાઈએ રક્ષાબંધન ઉજવવામાં આવી હતી. આ વર્ષે રક્ષાબંધનના દિવસે રાહુ મિથુન રાશિમાં અને કેતુ ધન રાશિમાં છે. 1462માં પણ રાહુ-કેતુની આ સ્થિતિ હતી.
સોમવારે દેવી-દેવતાઓની પૂજા કરો. પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો. આ શુભ કાર્યો બાદ પીળા રેશમના કપડામાં ચોખા, દૂર્વા, સરસવના દાણા, ચંદન, કેસર અને સોના કે ચાંદીનો નાનો સિક્કો રાખીને દોરો બાંધી રાખડી તૈયાર કરો. ત્યાર બાદ ઘરના મંદિરમાં એક કળશની સ્થાપના કરો. તેના ઉપર રાખડી રાખો, વિધિવત પૂજન કરો. પૂજામાં હાર-ફૂલ ચઢાવો. વસ્ત્ર અર્પણ કરો, ભોગ ધરાવો, દીવો પ્રગટાવી આરતી કરો. પૂજા બાદ આ રાખડીને ભાઇના જમણાં હાથે બાંધો.

શ્રાવણની પૂનમ તિથિએ શિવજીની પૂજા કરોઃ-
શિવલિંગ ઉપર જળ ચઢાવો અને પંચામૃતથી અભિષેક કરો. પંચામૃત દૂધ, દહીં, ઘી, મધ અને મિશ્રી મિક્સ કરીને બનાવો. મંત્ર ૐ નમઃ શિવાય, ૐ મહેશ્વરાય નમઃ, ૐ સાંબ સદાશિવાય નમઃ, ૐ રૂદ્રાય નમઃ વગેરે મંત્રોનો જાપ કરો. ચંદન, ફૂલ, પ્રસાદ ચઢાવો. ધૂપ અને દીવો પ્રગટાવો. શિવજીને બીલીપાન, ધતૂરો, ચોખા અર્પણ કરો. ભગવાનને પ્રસાદ સ્વરૂપે ફળ અથવા દૂધથી બનેલી મીઠાઈ અર્પણ કરો. ધૂપ, દીપ, કપૂર પ્રગટાવીને આરતી કરો. શિવજીનું ધ્યાન કરીને અડધી પરિક્રમા કરો. ભક્તોમાં પ્રસાદ વહેંચો.
પૂનમના દિવસે આ શુભ કામ કરી શકાય છેઃ-
શ્રાવણની પૂનમ તિથિએ ભગવાન સત્યનારાયણની કથા કરો. પૂજામાં હલવાનો ભોગ ધરાવો. સત્યનારાયણ વિષ્ણુજીનું જ એક સ્વરૂપ છે. તેમની પૂજામાં સત્ય બોલવાનો સંકલ્પ લેવો જોઇએ. પૂનમ તિથિએ સૂર્યાસ્ત બાદ ચંદ્રદેવની પૂજા કરો. દૂધથી અર્ઘ્ય અર્પણ કરો. ખીરનો ભોગ ધરાવો. જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fo5GOQ
via IFTTT
ટિપ્પણીઓ નથી: