અરૂણ જેટલીને પીએમ મોદી અને અમિત શાહે આ રીતે કર્યા યાદ

નવી દિલ્હી, તા. 24 ઓગસ્ટ 2020 સોમવાર
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતાઓમાં અરૂણ જેટલીની આજે પુણ્યતિથિ છે. આ અવસરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તેમને યાદ કરતા કહ્યુ કે તેઓ એક ઉત્કૃષ્ટ રાજનીતિજ્ઞ, વિપુલ વક્તા અને એક મહાન વ્યક્તિ હતા. જેમની જગ્યા ભારતીય રાજનીતિમાં કોઈ લઈ શકે નહીં.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ કે અરૂણ જેટલી બહુઆયામી પ્રતિભા ધરાવતા હતા અને તેઓ મિત્રોના મિત્ર હતા. જે હંમેશા પોતાની વિશાળ વિરાસત, પરિવર્તનકારી દ્રષ્ટિ અને દેશભક્તિ માટે યાદ કરવામાં આવશે, ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 24 ઓગસ્ટે જ દિલ્હીના એઈમ્સમાં અરૂણ જેટલીનું નિધન થઈ ગયુ હતુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આજના દિવસે ગયા વર્ષે આપણે અરૂણ જેટલીને ગુમાવ્યા હતા. મને મારા મિત્રની બહુ યાદ આવે છે. અરૂણ જીએ લગનથી ભારતની સેવા કરી. તેમની દક્ષતા, બુદ્ધિમત્તા, કાનૂની કૌશલ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ તેમને મહાન બનાવે છે. પીએમ નરેન્દ્ર મોદીએ અરૂણ જેટલીની પ્રાર્થના સભાનો વીડિયો પણ શેર કર્યો.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34rA0qg
via IFTTT
ટિપ્પણીઓ નથી: