વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાતમી વખત લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો

નવી દિલ્હી, તા.15 ઓગસ્ટ 2020, શનિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લાલ કિલ્લા (Red Fort) પરથી સાતમી વખત સ્વતંત્રતા દિનની (Independence day 2020) ઉજવણી નિમિત્તે ધ્વજ ફરકાવીને દેશને સંબોધન કર્યું છે. રક્ષા મંત્રાલયનાં નિવેદન પ્રમાણે, વડાપ્રધાનને સલામી આપનારા ગાર્ડ ઓફ ઓનરમાં આર્મી, નેવી અને દિલ્હી પોલીસનાં એક એક અધિકારી અને 24 જવાન સામેલ રહ્યા હતા. મેજર શ્વેતા પાંડે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવાવમાં વડાપ્રધાન મોદીની મદદ કરી.

વડાપ્રધાન સવારે 7 વાગીને 18 મિનિટે લાલ કિલ્લાના લાહૌરી ગેટ પર પહોંચ્યા બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહ અને રક્ષા સચિવ ડૉ. અજય કુમારે તેમની આગેવાની કરી હતી.


કોરોના કાળમાં લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસનો આ કાર્યક્રમની ઉજવણી ચોક્કસથી અલગ હતી. દર વર્ષે જ્યાં મોટી સંખ્યામાં આ દિવસે લાલ કિલ્લા પર લોકોની ભીડ હોય છે. ત્યાં આ વખતે લાલ કિલ્લા પર સોશિયલ ડિસ્ટન્સિંગ જોવા મળ્યું.

લાલ કિલ્લા પર બાળકો પણ ફેસ માસ્ક સાથે ધ્વજ વંદનના આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સાથે જ તેમની બેસવાની ખુરશી પણ અલગ અલગ રાખવામાં આવી હતી. અંદર આવતા તમામ લોકોનું થર્મલ ચેકિંગ કાર્યક્રમ શરૂ થયો તે પહેલા જ કરવામાં આવ્યુ હતું.

સુરક્ષા માટે સીન્ફર ડોગ પણ મૂકવામાં આવ્યા હતા. કોરોના કાળમાં ઉજવવામાં આવેલા આ સ્વતંત્રતા કાર્યક્રમમાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે પણ દર વખતની જેમ સાફામાં નજરે પડ્યા હતા.




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3atFOQM
via IFTTT

ટિપ્પણીઓ નથી: