વૈદિક રાખડી ચોખા, દૂર્વા, સિક્કા સહિત 6 શુભ વસ્તુઓથી ઘરે જ બનાવી શકાય છે, રાખડી ન હોય તો રેશમી કે સૂતરનો લાલ દોરો પણ ભાઇને બાંધી શકાય છે

સોમવાર, 3 ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે. આ વખતે કોરોનાવાઇરસના કારણે અનેક જગ્યાએ લોકડાઉન છે. બજાર બંધ છે. આવી સ્થિતિમાં જો બજારમાં રાખડી મળી શકે નહીં તો બહેને ઘરે જ વૈદિક રાખડી બનાવીને ભાઇને બાંધી શકે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે વૈદિક રાખડી બનાવવા માટે રેશમના કપડામાં ચોખા, દૂર્વા, સરસવના દાણા, ચંદન, કેસર અને સોના કે ચાંદીનો નાનો સિક્કો રાખી શકો છો. આ વસ્તુઓની પોટલી બનાવો. ભાઇના માથા ઉપર તિલક લગાવો અને કાંડા ઉપર રેશમી કે સૂતરના દોરા સાથે આ પોટલી બાંદી દો. રાખડી બાંધતી વખતે ભગવાન પાસે ભાઇને બધી જ પરેશાનીથી બચાવવાની પ્રાર્થના કરો. રક્ષાબંધનના દિવસે સવારે 9.29 વાગ્યા સુધી ભદ્રા રહેશે. તે પછી આખો દિવસ રાખડી બાંધી શકાય છે.

આ વસ્તુઓનું ભાવનાત્મક મહત્ત્વ પણ છેઃ-
દૂર્વા- દૂર્વા શ્રીગણેશને પ્રિય છે. તેને શુભ અને પવિત્ર માનવામાં આવે છે. રાખડી સાથે તેને બાંધવાનો ભાવ એ છે કે, ભાઇને શ્રીગણેશની કૃપા મળે અને તેના બધા જ વિઘ્ન દૂર થાય. દૂર્વા ઘાસ ઝડપથી ફેલાય છે અને તે જ પ્રકારે ભાઇના જીવનમાં સુખ પણ ફેલાતુ રહે.

ચોખા- ચોખા એટલે અક્ષતનું પૂજા-પાઠમાં ખૂબ જ મહત્ત્વ છે. ભાઇ-બહેનનો પ્રેમ હંમેશાં અખંડિત રહે આ ભાવ સાથે રાખડીમાં ચોખા અખંડિત ચોખા રાખવામાં આવે છે

કેસર- થોડું કેસર પણ પોતાની મહેક અને રંગ ફેલાવે છે. આ પ્રકારે ભાઇના ગુણ પણ વધતા રહે અને તેની ખ્યાતિ થાય, આ ભાવ સાથે રાખડીમાં કેસર રાખવામાં આવે છે.

ચંદન- ચંદન શીતળતા પ્રદાન કરે છે. ભાઇના સ્વભાવમાં ઉગ્રતા નહીં શીતળતા બની રહે, ભાઇનું મન શાંત રહે તેના માટે રાખડીમાં કેસર રાખવામાં આવે છે.

સરસવના દાણા- સરસવનું આયુર્વેદમાં ખૂબ જ મહત્ત્વ છે. તેના તેલથી ત્વચામાં નિખાર આવે છે. તેનું સેવન અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે. ભાઇ બધા જ પ્રકારના અવગુણોથી બચીને રહે, આ ભાવથી સરસવ રાખડીમાં બાંધવામાં આવે છે.


સોના કે ચાંદીના સિક્કા- આ ધાતુઓ મહાલક્ષ્મીને વિશેષ પ્રિય છે. રાખડી સાથે આ સિક્કા રાખીને બહેન કામના કરે છે કે, ભાઇના જીવનમાં ક્યારેય ધનની કમી ન રહે. તેને બધા જ સુખ મળે.

રાખડી ન હોય તો શું કરવું-
જો વૈદિક રાખડી બનાવવા માટે આ બધી જ વસ્તુઓ ન હોય તો માત્ર રેશમનો દોરો પણ રાખડી સ્વરૂપે બાંધી શકાય છે. રેશમનો દોરો ન હોય તો પૂજામાં ઉપયોગમાં લેવામાં આવતો લાલ દોરો બાંધી શકાય છે. જો તે પણ ન હોય તો તિલક લગાવીને ભાઇના સુખદ ભવિષ્યની કામના કરી શકો છો.

રાખડીનું મહત્ત્વઃ-

ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે-
सर्वरोगोपशमनं सर्वाशुभविनाशनम्।
सकृत्कृते नाब्दमेकं येन रक्षा कृता भवेत्।।

રક્ષાબંધન પર્વમાં ધારણ કરવામાં આવેલ રાખડી બધા જ પ્રકારના રોગ અને અવગુણોથી બચાવે છે. આ રાખડી વર્ષમાં એકવાર ધારણ કરવાથી આખું વર્ષ વ્યક્તિની રક્ષા થાય છે.

રાખડી બાંધતી વખતે આ મંત્ર બોલોઃ-
येन बद्धो बली राजा दानवेन्द्रो महाबलः।
तेन त्वां अभिबध्नामि रक्षे मा चल मा चल।।

આ મંત્રનો અર્થ- પ્રાચીન સમયમાં એક દોરા જેવા રક્ષાસૂત્રએ અસુરરાજ બલિને બાંધી દીધો હતો, તે જ પ્રકારનો દોરો હું તમને બાંધું છું. ભગવાન તમારી રક્ષા કરે. આ દોરો ક્યારેય તૂટે નહીં અને તમે હંમેશાં સુરક્ષિત રહો. દેવી લક્ષ્મીએ રાજા બલિને રક્ષાસૂત્ર બાંધીને ભગવાન વિષ્ણુને મુક્ત કરાવ્યાં હતાં.

ભાઇ ન હોય તો ઇષ્ટદેવને રાખડી બાંધી શકાય છેઃ-
જે મહિલાઓનો કોઇ ભાઇ ન હોય તેઓ હનુમાન, શ્રીકૃષ્ણ, શિવજી અથવા પોતાના ઇષ્ટદેવને રક્ષાસૂત્ર બાંધી શકે છે. પુરૂષો પણ ભગવાનને રક્ષાસૂત્ર બાંધી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Rakshabandhan 2020: Vedic ash can be made at home with 6 auspicious items including rice, durva, coins


from Divya Bhaskar https://ift.tt/3i02ScB
via IFTTT

ટિપ્પણીઓ નથી: