મન કી બાત : નવા કાયદાથી દૂર થશે ખેડૂતોની મુશ્કેલી - વડા પ્રધાન મોદી


નવી દિલ્હી, તા. 29 નવેમ્બર 2020 રવિવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પર મન કી બાત કરી રહ્યા છે. વડા પ્રધાનનો આ કાર્યક્રમ કોરોના સંકટ અને કૃષિ કાનૂન વિરૂદ્ધ જારી ખેડૂતોના આંદોલન વચ્ચે થઈ રહ્યો છે. જોકે, પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યુ કે આ એક ખુશખબરી આપી રહ્યો છે. કેનેડાથી મા અન્નપૂર્ણા દેવીની મૂર્તિ પાછી લાવવામાં આવી છે. આ માટે કેનેડા સરકારનો આભાર વ્યક્ત કરૂ છુ.

પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યુ કે આજે હુ આપ સૌની સાથે એક ખુશખબરી શેર કરવા ઈચ્છુ છુ. દરેક ભારતીયને એ જાણીને ગર્વ થશે કે દેવી અન્નપૂર્ણાની એક ઘણી પ્રાચીન પ્રતિમા કેનેડાથી ભારત પાછી આવી રહી છે. માતા અન્નપૂર્ણાનો કાશી સાથે ઘણો ખાસ સંબંધ છે. હવે તેમની પ્રતિમાને પાછી લાવવી આપણા સૌ માટે સુખદ છે. માતા અન્નપૂર્ણાની પ્રતિમાની જેમ જ અમારી વિરાસતની અનેક અનમોલ ધરોહર, આંતરરાષ્ટ્રીય ગેંગનો શિકાર થતી રહી છે. 

પીએમ મોદીએ કહ્યુ કે માતા અન્નપૂર્ણાની પ્રતિમાની વાપસીની સાથે એક સંયોગ એ પણ જોડાયેલો છે કે કેટલાક દિવસ પહેલા જ વર્લ્ડ હેરિટેજ વીક મનાવવામાં આવ્યો છે. વર્લ્ડ હેરિટેજ વીક સંસ્કૃતિ પ્રેમીઓ માટે, પ્રાચીન સમયમાં પાછા જવા, તેમના ઈતિહાસના મહત્વના પડાવોની જાણકારી મેળવવાનો એક શાનદાર અવસર પ્રદાન કરે છે.

પીએમ મોદીએ કહ્યુ કે આજે દેશમાં કેટલાક સંગ્રહાલય અને લાઈબ્રેરી પોતાના કલેક્શનને સમગ્ર રીતે ડિજિટલ બનાવવાનુ કામ કરી રહ્યા છે. દિલ્હીમાં અમારા રાષ્ટ્રીય સંગ્રહાલયે આ સંબંધમાં કેટલાક પ્રશંસનીય પ્રયત્ન કર્યા છે.

વડા પ્રધાન મોદીએ કહ્યુ કે આ મહિને 12 નવેમ્બરથી ડૉક્ટર સલીમ અલી જીનો 125મો જયંતી સમારોહ શરૂ થયો છે. ડૉક્ટક સલીમે પક્ષીઓની દુનિયામાં બર્ડ વોચિંગને લઈને ઉલ્લેખનીય કાર્ય કર્યા છે. દુનિયામાં બર્ડ વોચિંગને ભારત પ્રત્યે આકર્ષિત પણ કર્યા છે. ભારતમાં ઘણા બર્ડ વોચિંગ સોસાયટી સક્રિય છે. પીએમ મોદીએ લોકોને અપીલ કરી છે કે આપ પણ જરૂર આ વિષયની સાથે જોડાઓ.

પીએમ મોદીએ કહ્યુ કે મારી ભાગદોડની જીન્દગીમાં મને પણ કેવડિયામાં પક્ષીઓ સાથે સમય પસાર કરવાનો ઘણો યાદગાર અવસર મળ્યો. ભારતની સંસ્કૃતિ અને શાસ્ત્ર, હંમેશાથી જ પૂરી દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યુ છે. કેટલાક લોકો તો આની શોધમાં ભારત આવ્યા અને હંમેશા માટે અહીંના થઈને રહી ગયા, તો કેટલાક લોકો પાછા પોતાના દેશ જઈને આ સંસ્કૃતિના સંવાહક બની ગયા.

પીએમ મોદીએ કૃષિ કાયદા પર કહ્યુ કે આનાથી ખેડૂતો માટે નવા માર્ગ ખુલ્યા છે. ઘણા વિચાર, વિમર્શ બાદ ભારતીય સંસદે કૃષિ કાનૂનોને ઠોસ રૂપ આપ્યુ.

પીએમ મોદીએ કહ્યુ કે ઘણા વિચાર વિમર્શ બાદ ભારતની સંસદે કૃષિ સુધારે કાનૂની સ્વરૂપ આપ્યુ. આ સુધારાને ના માત્ર ખેડૂતોના અનેક બંધન સમાપ્ત થયા છે પરંતુ તેમને નવા અધિકાર પણ મળ્યા છે. નવા અવસર પણ મળ્યા છે. વડા પ્રધાન મોદીએ કહ્યુ કે કાનૂનમાં વધુ એક મોટી વાત છે, આ કાનૂનમાં એ જોગવાઈ છે કે વિસ્તારના એસડીએમએ એક મહિનાની અંદર જ ખેડૂતની ફરિયાદનો ઉકેલ મેળવવો પડશે.

પીએમ મોદીએ કહ્યુ કે ખેડૂતોમાં જાગૃતતા વધારવાનું આવુ જ એક કામ કરી રહ્યા છે. રાજસ્થાનના બારાં જિલ્લાના રહેવાસી મોહમ્મદ અસલમ. આ એક ખેડૂત ઉત્પાદક સંઘના સીઈઓ પણ છે. મોટી મોટી કંપનીઓના CEOsને સાંભળીને સારૂ લાગશે કે હવે દેશના દૂર દૂરના વિસ્તારોમાં કામ કરી રહેલા ખેડૂત સંગઠનોમાં પણ CEOs હોય છે.




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39pnUAs
via IFTTT

ટિપ્પણીઓ નથી: