પરિવારવાદ પર PM મોદીએ સાધ્યુ નિશાન, આ લોકો પુત્ર, પુત્રી અને જમાઈને જિલ્લાઓ વહેંચે છે


પટના, તા. 01 નવેમ્બર 2020 રવિવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બીજી રેલી સમસ્તીપુરમાં થઈ રહી છે. આ રેલીમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ હાજર છે.

સમસ્તીપુરમાં મુખ્યમંત્રી નીતીશ કુમારે પોતાના માત્ર 2 મિનિટના સંબોધનમાં કહ્યુ કે બિહારના મતદાતા એકવાર ફરીથી એનડીએને રાજ્યનો વિકાસ કરવાની તક આપે, નીતીશ કુમારે કહ્યુ કે કેન્દ્ર સરકારે બિહારને કેટલીક વિશેષ મદદ કરી છે અને બિહારના વિકાસને રફ્તાર આપી છે.

સમસ્તીપુરમાં પીએમ મોદીએ કહ્યુ કે કોરોનાના પ્રતિબંધ વચ્ચે પણ આટલી મોટી સંખ્યામાં આવવુ, જે આપનો જોશ અને ઉત્સાહ સ્પષ્ટ કરે છે કે 10 નવેમ્બરે પરિણામ શુ આવવાના છે. અહીં દરેક ખૂણામાં વિજયનો અહેસાસ છે. ઉમંગ છે, ઉત્સાહ છે અને બિહારના ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ હુ જોઈ રહ્યો છુ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આજે જો દરેક આકલન, દરેક સર્વે, NDAની જીતનો દાવો કરી રહ્યા છે તો તેની પાછળ ચોક્કસ કારણ છે. આજે એનડીએની ફરીથી સરકાર બનવાની છે, જેને અમારી સરકારે, નીતિશ બાબુની સરકારે સુશાસનથી, સુવિધાઓથી જોડી છે. અવસરોથી જોડી છે.

સ્કુલોમાં બનેલા શૌચાલયથી મહિલાઓને અંધારાની રાહ જોવાથી મુક્તિ મળી છે. જે બહેનોને પીવાના પાણીના સંઘર્ષને મુક્તિ મળી તે NDAના પક્ષમાં મત આપી રહી છે. જીવન ભર ધુમાડામાં રહેતી બહેનોના વોટ NDA માટે છે. જેના ઘરમાં ઉજ્જવલા સિલિન્ડર પહોંચ્યા છે.




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HRhzlK
via IFTTT

ટિપ્પણીઓ નથી: